Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 57
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = = અહંતપ્રાર્થના શ્રી સિદ્ધગિરિજી સ્તુતિ. વિમલ ગિરિવર વન્દન કરતાં આજ હરખ અતિ ઉર ઉભરાય, ધન્ય દિવસ ઘડી ધન્ય જીવન મુજ નિરખી નયના પાવન થાય; પૂર્વ નવ્વાણું વાર પધાર્યા - પ્રથમ જિર્ણોદ એ તીરથ રાય, ત્રણ ભુવનમાં અનુપમ તીરથ નમીયે તેહને શીષ નમાય. શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથની સ્તુતિ. ધરણેન્દ્ર સુર પદ્માવતી સેવે સદા સ્નેહે કરી, જે શાતિના સાગર સમા નયને સુધા વરસાવતી; ચિન્તામણિ પ્રભુ પાશ્વ સ્વામી તારજો સંસારથી, સુખ આપજે મુક્તિ તણાં અમને પ્રભુ કરુણા કરી. પ્રભુ-પ્રાર્થના હે દેવ ! તારક વિશ્વનાયક સૌખ્યદાયક જિનપતિ, વન્દન કરૂં ચરણે તમારા એક સુણજે વિનતિ; નવિ માંગું સુરપણું ચક્રવર્તી રાજ્ય કે સુત વિત્તને; પણ માંગું તુજ પદ પંથ સેવા સર્વદા મળજો મને. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 55 56 57 58