________________
સત્ય-અસત્યના રહસ્યો
સત્ય-અસત્યના રહસ્યો
તે બહુ નુકસાન કરે છે...” એમ ગમે તે રસ્તે આપણે એને બીવડાવીએ તો એ અસત્ય છે, છતાં હિતકારી છે ને ?! તો એ સત્ય ગણાય.
પ્રશ્નકર્તા : પણ હિતકારી હોય તે સામાન્ય રીતે સામાને પ્રિય નથી લાગતી.
સત્ય, પણ પ્રિય ખપે ! એટલે સત્યની વ્યાખ્યા શું કરવામાં આવી છે ? વ્યવહાર સત્ય કેવું હોવું જોઈએ ? વ્યવહાર સત્ય ક્યાં સુધી કહેવાય છે ? કે સત્યનાં પૂછડાં પકડીને બેઠાં છે એ સત્ય નથી. સત્ય એટલે તો સાધારણ રીતે આ વ્યવહારમાં સાચું હોવું જોઈએ. તે ય પાછું સામાને પ્રિય હોવું જોઈએ.
લોક નથી કહેતા કે “એય, કાણિયા, તું અહીં આવ.” તો એને સારું લાગે ? અને કોઈ ધીમે રહીને કહે, ‘ભાઈ, તમારી આંખ શી રીતે ગઈ ?” તો એ જવાબ આપે કે ના આપે ? અને એને કાણિયા કહીએ તો ?! પણ એ સત્ય ખરાબ લાગે ને ? એટલે આ દાખલો મૂક્યો. સત્ય એ પ્રિય જોઈશે.
નહીં તો સત્ય પણ જો સામાને પ્રિયકારી ના હોય તો એ સત્ય ગણાતું નથી. કો'ક પૈડા હોય તો તેને “માજી” કહેવું. એમને ‘ડોશી’ કહ્યા હોય તો એ કહે, ‘રડયો, મને ડોશી કહે છે ?!' હવે હોય અયોત્તેર વર્ષનાં, પણ પેલાં ‘ડોશી' કહે તો પોષાય નહીં. શાથી ? એમને અપમાન જેવું લાગે. એટલે આપણે એમને ‘માજી' કહીએ, કે “માજી આવો.’ તો એ રૂપાળું દેખાય અને તો એ ખુશ થઈ જાય. ‘શું ભઈ, પાણી જોઈએ છે ? તમને પાણી પાઉં ?!' કહેશે. એટલે પાણી-બાણી બધું ય પાય.
હિતકારી, તો જ સત્ય !
દાદાશ્રી : હવે એ હિતકારી છે કે કેમ, એ આપણી માન્યતા ઘણી વખત ખોટી હોય છે. અને આ તો આપણે માનીએ કે હું હિતકારી કહું છું છતાં આ માનતા નથી. અલ્યા, હિતકારી ક્યાંથી લાવ્યો તું ? હિતકારી એક વાક્ય ક્યાંથી લાવ્યો તું ? હિતકારી વાત તો કેવી હોય ? સામા માણસને મારીએ તો ય સાંભળે. હિતકારી વાત કરનારની પાસે તો, એ સામા માણસને મારે તો ય પેલો સાંભળે. સાંભળે કે ના સાંભળે ? કારણ કે પોતે સમજી જાય કે મારા હિતને માટે કહે છે. એટલે આપણી વાત જે સામાને પ્રિય લાગતી નથી. પાછું પ્રિય લાગે અને હિતકારી ના હોય તો ય નકામું છે.
ત્યારે ત્યાં આગળ પાછું ચેતવાનું કહ્યું, કે સત્ય એ એકલું પ્રિય નહીં પણ સામાને હિતકર પણ હોવું જોઈએ. સામાને ફાયદાકારક હોવું જોઈએ, તો સત્ય ગણાય. આ તો પેલું લૂંટી લેવું, છેતરી લેવું. એને સત્ય કહેવાય જ નહીં ને ! એટલે એકલા સત્યથી નહીં ચાલે. સત્ય હોવું જોઈએ અને તે સામાને પ્રિય લાગવું જોઈએ. સામાને પ્રિય લાગે એવાં ગુણાકાર થવા જોઈએ. અને સત્ય ને પ્રિય એકલું હોય તો ય પાછું ના ચાલે. એ હિતકારી હોવું જોઈએ.
સામાને હિત ના થતું હોય તો એ શું કામનું ?! ગામમાં તળાવ ભરાઈ ગયું હોય તો આપણે બાબાને કહીએ, ‘જો તળાવ પર એક ડાકણ રહે છે ને,
મિત વિનાનું સત્ય, કદરૂપું ! હવે એટલેથી ય નહીં પાછું. એવી ત્રણેવ ચીજ એક માણસે કરી, સત્ય કહ્યું, પ્રિય લાગે એવું બોલ્યા, હિતકારી લાગે એવું બોલ્યા. પણ આપણે કહીએ, ‘હવે બહુ થઈ ગયું, તમારી વાત બધી સમજી ગયો. તમે મને સલાહ આપી, ને એ મને સમજણ પડી ગઈ, હવે હું જઉં છું.’ તો એ આપણને શું કહેશે ? ‘ના, નથી જવાનું. ઊભો રહે. મારી વાત પૂરી સાંભળ. તું સાંભળ પણ.’ એ પાછું અસત્ય થઈ ગયું. એટલે મિત કહ્યું ભગવાને ત્યાં આગળ. મિત એટલે પ્રમાણમાં હોવું જોઈએ. થોડાક શબ્દમાં ના હોય તો સત્ય ગણાતું નથી. કારણ કે વધુ પડતું બોલે તો સામો માણસ કંટાળે, એ સત્ય ગણાતું નથી. એ સત્ય કરતાં રેડિયો સારો કે આપણે જયારે સ્વીચ બંધ કરવી હોય તો કરી શકીએ ! આ રેડિયો બંધ કરવો હોય તો થાય, પણ આ જીવતો રેડિયો બંધ ના થાય. એટલે મિત નથી એ ય ગુનો, એટલે એ ય જૂઠું થયું. વધારે પડતું, એક્સેસ બોલવાનું થઈ ગયું એ ય જૂઠું થઈ ગયું. કારણ કે અહંકાર છે એની પાછળ. એટલે સત્ય કહેતો હોય તો ય ખોટું દેખાય, હિતકારી બોલે તો ય ખોટો દેખાય. કારણ કે મિત નથી. એટલે નોર્માલિટી હોવી જોઈએ,