________________
ગાથા – ૫૦ થી ૫૫
૧૬૫ આદિ વિકલ્પ જે ઊઠે છે એ વિકાર છે. એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. પણ ભિન્ન ક્યારે થાય છે કે દ્રવ્યની અનુભૂતિ કરે ત્યારે, ભિન્ન થાય છે, ભિન્ન છે એવું જ્ઞાન થાય છે. ઝીણી વાત છે પ્રભુ! મારગ વીતરાગ - જૈન પરમેશ્વર ત્રિલોકનાથ (તીર્થકર દેવ) બિરાજે છે મહાવિદેહમાં સીમંધર પ્રભુ! ત્યાં ગયા હતા કુંદકુંદાચાર્ય સંવત ૪૯, બે હજાર વર્ષ પહેલાં ત્યાં ગયા હતા. આઠ દિવસ ત્યાં રહ્યા ને તેમને લબ્ધિ હતી ચાર તસુ જમીનથી ઊંચે ચાલવાની. ૮ દિવસ મહાવિદેહમાં રહ્યા ને ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા. આહાહાહા !
એ શાસ્ત્ર બનાવ્યા એના પછી હજાર વર્ષ પછી એક અમૃતચંદ્ર આચાર્ય થયા, એમણે આ ટીકા બનાવી છે. બન્ને સંત હતા, બન્ને પંચપરમેષ્ઠિમાં અનુભૂતિનો વૈભવ – આનંદનો વૈભવ (પ્રચૂર સ્વસંવેદન) દશા અંદર જેમને પ્રગટ થઈ હતી. અતીન્દ્રિય આનંદની મહોરછાપ જેમની... જેમ ( પોષ્ટ) કાર્ડમાં મહોરછાપ લગાવે છે ને, કવર ઉપર પાડે છે એમ મુનિદશામાં પ્રચૂર અતીન્દ્રિય આનંદની મહોરછાપ પડે છે. આહાહા ! સમજાણું કાંઈ...?
અહીંયા તો હજી અનુભૂતિની વાત ચાલે છે. એનાથી (મુનિથી) નીચલા દરજજાની વાત - મુનિના દરજ્જાથી અનુભૂતિની ચીજ ચોથા ગુણસ્થાનમાં નીચેની ચીજ છે. સમ્યગ્દર્શનની
જ્યારે ઉત્પત્તિ થાય છે ત્યારે તેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. જ્ઞાયક ચિદાનંદ! નિમિત્તથી પણ હઠીને, રાગ – દયા – દાન - વ્રત – ભક્તિ આદિનો રાગ, એનાથી પણ હઠીને, પર્યાયથી પણ હઠીને ત્રિકાળ જ્ઞાયક ઉપર દૃષ્ટિ જાય છે. સમજાણું કાંઈ? ત્યારે એને સમ્યગ્દર્શન થાય છે, અને ત્યારે તેને અનુભૂતિ થાય છે આનંદની. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે, અહીંયા આ વાત છે. પ્રભુ! (આત્મા) એ અનુભૂતિથી ભિન્ન છે કહ્યું ને! કેમ એવું કહ્યું? આ તો ટીકા ગંભીર છે! ચીકાશ આદિ એ સર્વ જીવના નથી, કેમ કે પુદગલ દ્રવ્યના પરિણામમય – પરિણામમય એમ કહ્યું. કેમ?કે જે ચીકાશ - લૂખાશ આદિ જે પર્યાય છે એ પુદગલદ્રવ્યના પરિણામવાળા (એમ) નહીં (પરંતુ ) પરિણામમય – અભેદ છે એ સ્પર્શગુણાદિ છે. એની ચીકાશ – લૂખાશ (આદિ) જે છે એ પુદ્ગલદ્રવ્યના પરિણામમય (એટલે કે ) એની સાથે અભેદ છે.
આહાહા! અને આત્મામાં આત્માની અનુભૂતિ છે એ આત્મદ્રવ્ય સાથે અભેદ છે. ઝીણી વાત છે ભાઈ ! આ તો સમયસાર છે, આ તો ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ એમની દિવ્યધ્વનિ (છે) એ સાંભળીને આવ્યા કુંદકુંદાચાર્ય, (તેઓ) સંત હતા – મુનિ (રાજ) હતા ભાવલિંગી ! એ પ્રભુ (તીર્થકર સીમંધરનાથ) પાસે ગયા. ભગવાન તો (મહાવિદેહમાં) બિરાજે છે. અત્યારે (વર્તમાન) બિરાજે છે. સંવત (૪૯) બે હજાર વર્ષ પહેલાંની વાત છે. સમજાણું કાંઈ ?
(આનો આધાર) જયસેન આચાર્યની ટીકામાં છે – સંસ્કૃત ટીકા છે ને! સમયસાર (ટીકા) જયસેન આચાર્યની (તેમાં આધાર છે) કે ભગવાન (કુંદકુંદ) ત્યાં ગયા હતા અને (એક) બીજું દર્શનસારમાં છે, એક દેવસેનાચાર્ય થયા, એનું દર્શનસાર ( ગ્રંથ) પુસ્તક છે નાનું, ત્યાં શ્લોક છે કે એ પ્રભુ કુંદકુંદાચાર્ય મહાવિદેહમાં જઈને આ જે વસ્તુ (તત્ત્વજ્ઞાન) અમને આપ્યું, જો ન આપ્યું હોત તો અમને મુનિપણું શી રીતે પ્રાપ્ત થાત ! એમના દર્શનસારમાં છે, દર્શનસાર પુસ્તક ( અત્યારે) અહીં નથી, રાત્રે કાઢયું” તું કાલ, અહીંયા તો બધા હજારો પુસ્તક છે.
આહાહા ! એ કુંદકુંદાચાર્ય ભગવાન સંત હતા ભાવલિંગી – અનુભવી આનંદના વેદવાવાળા