________________
૨૮૪
–
સમયસાર સિદ્ધિ ભાગ-૩ સિવાયના બીજા ઘડાને તે જાણતો ન હોય– જેમ કોઈ પુરુષને જન્મથી લઈને, હવે દેષ્ટાંત વૈ છે, કોઈ પુરુષને જન્મથી માંડીને ‘ઘીનો ઘડો' જ એને ખ્યાલમાં છે – પ્રસિદ્ધ ( જાણીતો ) છે. દેખો ! કોઈ પુરુષને જન્મથી લઈને માત્ર ‘ઘીનો ઘડો' – ઘીનો ઘડો જ પ્રસિદ્ધ છે જેમ ઘીનો ઘડો પ્રસિદ્ધ છે એ અનેરા ઘડાને જાણતો નથી ને ઘીને જાણતો નથી. એનાં સિવાય બીજા ઘડાને જાણતો નથી– ( આહા !) એનાં સિવાય તે બીજા ઘડાને નથી જાણતો, એ ‘ઘીના ઘડા’ સિવાય બીજા ઘડાને જાણતો જ નથી– ઘીનો ઘડો, ઘીનો ઘડો એમ કહે એને સમજાવવા માટે જો આ ઘીનો ઘડો ( કહેવાય છે ) એ ઘડો માટીનો છે. શું કહ્યું જોયું ? બીજા ઘડાને જે જાણતો જ નથી, ઘીનો ઘડો જ એને ( જાણીતો ) છે. પાણીનો ઘડો, દૂધનો ઘડો એ કાંઈ જાણતો નથી, જાણે છે માત્ર ઘીના ઘડાને, એને સમજાવવા માટે ( કહે છે કે ) આ ઘીનો ઘડો છે. પાછી ભાષા શું છે કે ઘીનો ઘડો છે તે માટીમય છે. ઓલી પ્રસિદ્ધિને કા૨ણે એવું કહ્યું પહેલા કે ઘીનો ઘડો ( કારણકે ) એને ઘીનો ઘડો પ્રસિદ્ધ ( જાણીતો ) છે. જન્મથી માંડીને એ જ જાણીતો છે તો એને શબ્દથી કહ્યું કે આ ઘીનો ઘડો છે તે માટીમય છે. બીજા ઘડાને તો એ જાણતો નથી, બીજા ઘડા ( જેવા કે ) ઘીનો ઘડો, પાણીનો ઘડો એને તે જાણતો નથી, એક જ ( ઘીનો ઘડો ) દેખે છે. પણ એને કહ્યું ઘીનો ઘડો છે તે માટીનો છે ઘડો માટીનો છે, એ ઘડો ઘીમય ( ઘીનો ) નથી. ઘીનો ઘડો એ માટીમય છે, ઘીમય (ઘીનો ) નથી.ઘડો ઘીનો નહીં માટીમય છે. સમજાવવા માટે આ રીતે કહ્યું છે.
આ પ્રકારે સમજાવવાવાળા દ્વારા, ઘડામાં ઘીનો ઘડાનો વ્યવહાર કરવામાં આવે છે. જોયું ? ઘડામાં, ‘ઘીનો ઘડો' વ્યવહાર કરવામાં આવે છે- ઘડામાં ‘ઘીના ઘડા’ નો વ્યવહા૨ ક૨વામાં આવે છે, કા૨ણકે પેલા પુરુષને ‘ઘીનો ઘડો' જ પ્રસિદ્ધ છે. પહેલાં વાત લીધીને જન્મથી લઈને માત્ર ‘ઘીનો ઘડો' જ પ્રસિધ્ધ છે. આહાહા!
એવી રીતે આ અજ્ઞાની લોકોને અનાદિ સંસા૨થી લઈને અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે. બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત ( આદિ પ્રકારે ) જીવ છે એ રીતે જ જાણીતા છે ( જીવ ) અનાદિથી, એની દૃષ્ટિ ત્યાં છે ને ! અશુદ્ધ જીવ ( જ ) પ્રસિદ્ધ છે. શુદ્ધજીવને તો એ જાણતા નથી. (ઘડામાં રહેલ ) ઘીને એ જાણતો નથી. ઘીનો ઘડો, ઘડો તો માટીનો છે (પરંતુ ) એને ( ઘીને ) એ જાણતો નથી. ( એ તો બોલ્યા કરે છે ) ઘીનો ઘડો, ઘીનો ઘડો, ઘીનો ઘડો ત્યારે એને સમજાવવા એમ કહ્યું કે ઘડો માટીમય છે. એમ એ ઘીનો ઘડો ( જન્મથી માંડીને ) પ્રસિદ્ધ ( જાણીતો ) છે એ પ્રકારે અજ્ઞાની લોકોને અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે. શુદ્ધજીવને એ જાણતા નથી. એને સમજાવવા માટે શુદ્ઘજીવનું જ્ઞાન કરાવવા માટે, આ વદિમાન જીવ છે એ જ્ઞાનમય છે. વર્ણાદિમાન જીવ છે એમ કહીને ( કહ્યું કે ) જીવ તો જ્ઞાનમય છે. વર્ણાદિમાન ( જીવને કહ્યો ) જેમ ઘીનો ઘડો એને પ્રસિદ્ધ છે (એમ વર્ણાદિવાળો જીવ ) અજ્ઞાનીઓને પ્રસિદ્ધ છે. તો એને કહ્યું કે વર્ણાદિમાન જીવ છે એ જ્ઞાનમય છે.
લ્યો ! આ તો ગૌતમે કહ્યું ભાઈ એય ચેતનજી ? ગૌતમે કહ્યું ઓલામાં ધવલમાં ( આવે છે ને ) માટે સમજાવવા કહ્યું છે, વ્યવહા૨થી–વ્યવહા૨થી કહ્યું છે. ત્યાં કહે જોયું ? વ્યવહા૨થી પણ લાભ થાય છે. શું થાય ? જગતના —સ્વચ્છંદના પાર ન મળે ! શુદ્ધજીવને જે જાણતા નથી એને સમજાવવા માટે–શુદ્ધજીવનું જ્ઞાન કરાવવા માટે ( કીધું કે) એ વર્ણાદિમાન જીવ છે તે તો