________________
ગાથા દર
૨૫૭
સંસારમાં છે ( એરાગભાવ ) એને પણ એમ માન કે આ મારું છે (મારામાં છે) તો એ પુદ્ગલ થઈ ગયું અને પુદ્ગલની મુક્તિ થઈ ! છે ? આહાહા ! શું આ વાત !
એ શ્વેતાંબરમાં ૪૫, ૩૨, સૂત્ર વાંચે કરોડો, આ વાત નીકળે નહીં ત્યાંથી, આ તો ભગવાન ત્રિલોકનાથ જિનેશ્વરદેવ (તીર્થંકરસીમંધર સ્વામી ) પાસે ગયેલા અંતરમાં જિનેશ્વરપ્રભુ (પોતાની ) પાસે ગયેલા, (સ્વાનુભૂતિપ્રાપ્ત ) એની આ વાણી સંતોની છે. જ્યાં અમે ગયા ત્યાં તો આ રાગ ને દ્વેષ છે નહીં ને ! અમારો પ્રભુ જે આત્મા-શુદ્ધ ચિદાનંદ, જ્યાં અમે આમ (અંત૨માં ) ગયા ત્યાં તો રાગ-દ્વેષ છે જ નહીં ને ! તે રાગ-દ્વેષનો સંબંધ આત્મા સાથે છે જ નહીં. આ તો અમૃતચંદ્રાચાર્ય ! કુંદકુંદાચાર્ય પછી હજાર વર્ષે થયેલા અને તે તો ભગવાન પાસે ગયા ય નહોતા, એ તો અહીંના (નિજભગવાન ) પાસે ગયેલા ને !( શ્રોતાઃ– એ પછી હજા૨ વર્ષે આપ થયા ) વાણી સાંભળવી મુશ્કેલ પડી જાય એવી છે!
આહાહા ! એકકોર એમ કહે છે કે પુણ્ય-પાપ ને રાગ, જીવની પર્યાયમાં –જીવનું કર્તવ્ય, કર્તા-ભોક્તા ( જીવ ) છે, એ જ્ઞાનની અપેક્ષાએ કહે, એકકોર દૃષ્ટિની અપેક્ષાએ કહે કે રાગને દ્વેષની ઉત્પત્તિ પુદ્ગલ સાથે સંબંધ ( રાખે ) છે. સ્વભાવની દૃષ્ટિએ જોતાં તે ( ભાવો ) ૫૨ના છે. આહાહા ! આવી વાત છે.
જે એ પુણ્ય ને પાપના ભાવ, દયા-દાન આદિના ભાવ, જેમ પુદ્ગલની સાથે ઉત્પત્તિવ્યય ધારણ કરતા–વ્યાપ્ત દેખાય છે એમ જો આત્માની સાથે પણ ( ઉત્પાદ–વ્યય થતા ) દેખાય, તો તો (આત્મા ) પુદ્ગલ થયો-આત્મા પુદ્ગલ થઈ ગયો, જીવ રહ્યો નહીં, રાગ વિનાનો અખંડાનંદપ્રભુ રાગરહિત એવા જીવદ્રવ્યનો તો નાશ થયો, અને પુદ્ગલદ્રવ્યની પ્રસિધ્ધિ થઈ. આહાહાહા!
ભગવાન આત્મા, અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનનો સાગર પ્રભુ અંદર બિરાજે છે ને પ્રભુ નાથ ! એને તું રાગવાળો માન, તો તો રાગવાળો (થવાથી ) પુદ્ગલ થઈ ગયો એ આખો, એ જીવ ( આત્મા ) ન રહ્યો ત્યાં પ્રભુ ! અરે ! રાગના શુભભાવને તું ધર્મ માન ને એ રાગ મારો માન, પ્રભુ ! ત્યાં આત્મા ન રહ્યો. હોં ? એ પુદ્ગલની જાહેરાતને પ્રસિધ્ધિ થઈ ! કહો દેવાનુંપ્રિયા ! આમાં ના પડાય એવું નથી ક્યાંય, આવું છે. આ ધીરાના કામ છે બાપા ! શું પણ સંતોએ ગજબ ! ન્યાયપ્રાપ્ત શબ્દ આવ્યો છે ને ! હૈં ? આવ્યું હતું ને ત્યાં પહેલાંમાં કે આ વાત ન્યાયપ્રાપ્ત છે. છેલ્લો શબ્દ છે લોજિકથી-ન્યાયથી પ્રાપ્ત છે. આહાહાહા !
ભગવંત ! તારા સ્વરૂપમાં જો રાગ-દ્વેષની ઉત્પત્તિ તારાથી થતી હોય તો તું પુદ્ગલમય થઈ ગયો, આત્મા રહ્યો નહીં. કેમ કે રાગ-દ્વેષની ઉત્પત્તિ તો ( પુદ્ગલમાં થાય છે ) રાગ-દ્વેષ તો અજીવ છે. સમજાણું કાંઈ ?
એ દયાદાન–વ્રત-ભક્તિના પરિણામ અજીવ છે, એ તારાથી ઉત્પન્ન અજીવ હોય તો તું જીવ તો રહ્યો નહીં એય ? આ જીવ–અજીવ અધિકાર છે, ન્યાં ધનબાદમાં લેવા જાય ત્યાં નથી મળે એવુ ત્યાં ! ( શ્રોતાઃ– એટલે તો આવે છેત્યારે (સોનગઢ) આવે છે ને !) આવી વાત બાપુ અત્યારે તો ( સાંભળવા મળે નહીં ) બહુ ગરબડી કરી નાખી છે. પંડિત લોકો ને સાધુઓ એવી પ્રરૂપણા કરે કે આ વ્રતનેતપને–ભક્તિને એ કરો એથી ધર્મ થશે, પ્રભુ ! પ્રભુ ! પ્રભુ ! બીજું