Book Title: Samaysara Siddhi 3
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 318
________________ ગાથા ૬૮ ૩૦૫ (શ્રોતાઃ– હિમાલય, ) હિમાલય નહીં, આ જાત્રાનું શિખરજી.. ‘એકવાર વંઠે જો કોઈ'. સમ્મેદશિખર ! પણ એ શું છે ? એને વાંદવાનો ભાવ, એ તો શુભભાવ ( છે ) એ કોઈ ધર્મ નહીં, કેમ કે ૫૨લક્ષી ભાવ છે. આહાહાહા ! એ શુભભાવ, કોઈ ભગવાન આત્મા ત્રિકાળી સ્વભાવ, ચૈતન્યસ્વરૂપ ભગવાન એ ધ્રુવસ્વભાવપૂર્વક, એ વિકાર (શુભાગ ) અત્યારે આવ્યો છે ? ( ના ) બસ, ત્યારે એ રાગ, ધ્રુવસ્વભાવપૂર્વક નથી થયો, તો પર્યાયમાં વિકા૨ કર્મપૂર્વક થયા છે. એ અપેક્ષાએ એનો કહેવાય છે, છે તો એનો અપરાધ, એના સ્વતંત્ર ઉપાદાનથી થાય છે પણ નાખવો (ખતવવો ) ક્યા અર્થમાં એ વાત છે. કર્મ કરાવે છે માટે વિકાર છે–થાય છે એ તો પ્રશ્ન જ છે નહીં, પણ અહીં વિકાર છે એ ત્રિકાળી જ્ઞાનાનંદ-સહજાનંદ પ્રભુ એનું કાર્ય એ નથી, એનું કાર્ય તો આનંદને શાંતિને જ્ઞાન-દર્શનનું કાર્ય આવવું જોઈએ, એ કારણે ત્રિકાળ જ્ઞાનાનંદ સ્વભાવનું એ (વિકાર ) કાર્ય નથી, તો પર્યાયમાં તા૨ા અપરાધથી થાય છે છતાં ઈ ( પુદ્ગલ ) કર્મપૂર્વક થયા તો કર્મમાં નાખી દીધા. સમજાણું કાંઈ ? આહાહાહા ! અરેરે ! ક્યાં માણસને પહોચવું ! અહીં તો હજી જીવ કોને ( કહેવો ને ) કેવો છે, એ વાત છે. અંતઃતત્ત્વ ભગવાન આત્મા, જે ૫૨માત્મસ્વરૂપ છે, એ અંતઃતત્ત્વ જે ૫૨માત્મસ્વરૂપ ભગવાન અત્યારે છે, ( વર્તમાન ) હોં ! ( એવો ) આત્મા ૫૨માત્મસ્વરૂપનું કાર્ય, રાગ છે ? છે તો એની પર્યાયમાં, પોતાના અપરાધથી, પણ એ કાર્ય કાંઈ પરમાત્મ સ્વભાવનું કાર્ય નહીં, એ કા૨ણે ૫ર્યાયમાં અદ્ધરથી ઉત્પન્ન થયો (વિકાર ) અહ્વરથી ગુણદ્રવ્યના આશ્રય વિના અદ્ધરથી ઉત્પન્ન થયો તો પુદ્ગલનું કાર્ય (છે એમ ) ગણવામાં આવ્યું ! ઉ૫૨-ઉપર ( રાગ-પર્યાય ઉપર ઉ૫૨ છે ) જો કે નિર્મળ ભગવાન આત્મા-શુદ્ધચૈતન્યધન, એના પરિણામ નિર્મળ, એ-૫ણ ઉ૫૨ ઉ૫૨ ૨હે છે. કાંઈ અંદ૨ ( અંતઃતત્ત્વમાં ) પ્રવેશ નથી કરતા, સમજાણું કાંઈ ? પણ આ પરિણામ જે છે એ ઉ૫૨ ઉ૫૨ કર્મના કા૨ણે નિમિત્તસંબંધે નિમિત્તનિમિત્ત સંબંધથી ઉત્પન્ન થયેલા છે. સ્વભાવથી ઉત્પન્ન થયેલા નથી. આવી વાત સાંભળવા મળે નહીં, ક્યાં જાય ? દેહ હાલ્યા જાય છે એક પછી એક, આ સંસ્કાર અંદર ન પડયા તો, જાશે ક્યાં ભાઈ ? આહાહાહા ! આહા ! બહુ સ૨સ ! જીવ–અજીવ અધિકાર પૂરો થાય છે ને અહીં, જીવ–અજીવ અધિકા૨ પૂરો થાય છે અહીં. ૬૮ ( ગાથા ) છેલ્લી ગાથા છે ને ! છેલ્લી સમજ્યાને ? આખિર, આ રીતે એમ સિદ્ધ કર્યું કે પુદ્ગલકર્મના ઉદયના નિમિત્તથી થતા –ત્યાં ઓલા આ પ્રશ્ન ઉઠાવે કે જુઓ ! નિમિત્તથી થયું કે નહીં ? કઈ અપેક્ષાએ વાત છે ? એ નિમિત્ત પુદ્ગલ છે, એના આશ્રયથી, એનાથી (વિકા૨ ) ઉત્પન્ન થયો, થયો છે તો પોતાની પર્યાયમાં, પોતાના કારણે પણ નિમિત્તના આશ્રયથી થયો તો સ્વભાવનું કાર્ય નથી, નિમિત્તનું કાર્ય છે ( તેથી ) એમ કહેવામાં આવ્યું. વાંધા આંહી વાંધા આંહી વાંધા ! ઝઘડા, ઝઘડા ઉઠાવે છે. પુદ્ગલકર્મના ઉદયના નિમિત્તથી થવાવાળો ચૈતન્યનો વિકાર, લ્યો ! એ અહીં સ્વભાવનો આશ્રય નથી– છે નહીં, તો આ પુદ્ગલનો આશ્રય કહેવામાં આવ્યો ! આવી વાતું હવે. આ પ્રકારે સિદ્ધ કર્યું છે કે પુદ્ગલ કર્મના ઉદયના નિમિત્તથી, અહીં તો એ વિકાર છે તો ચૈતન્યની પર્યાયમાં

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363