Book Title: Samaysara Siddhi 3
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 316
________________ ગાથા – ૬૮ ૩૦૩ એમાં તીર્થંકર-ત્રણલોકના નાથ, જિનેશ્વરદેવ એ આત્માને કેવો કહે છે એ સમજણમાં ન આવે ! આહા! એ જિંદગી નિષ્ફળ, પશુને મનુષ્યપણું મળ્યું નથીને આને મળ્યું પણ કર્યું નહીં, (મનુષ્યપણું ) નિષ્ફળ છે. આહા! ત્રણ વાત લીધી, ચૈતન્યસ્વભાવ અસલી-કાયમી જ્ઞાન-આનંદ-શાંતવિતરાગસ્વભાવ, એ સ્વભાવપૂર્વક વિકાર થતો નથી, કેમ કે સ્વભાવ તો શુધ્ધ નિર્મળ છે. તો એ સ્વભાવપૂર્વક વિકાર થતો નથી, તો વિકાર તો છે ખરો પર્યાયમાં, પર્યાયમાં વિકાર છે તો ખરો, તો એ શું છે? વ્રત-દયા–દાન–કામક્રોધના ભાવ તો છે. (અહીંયા તો કહે છે) એ પુગલ કર્મપૂર્વક (થયેલા છે), પુદ્ગલથી નહીં-પુદગલ કર્મ પૂર્વક થવાથી આ શુભ-અશુભ ભાવ અને ભેદભાવ, એ બધા પુગલ-કર્મપૂર્વક થવાથી, એમાં ચૈતન્યનો તો અભાવ છે, એ કારણે એને પુદ્ગલ કહ્યા, અને ચૈતન્યની પર્યાયમાંથી નીકળી જાય છે- જો એનો (ચૈતન્યનો) ભાવ એ હોય તો કાયમ રહે, ચીજમાં તો એ છે નહીં. એનો (આત્માનો ભાવ) હોય તો, તો સદાય રહે. પર્યાયમાં ત્રિકાળ દ્રવ્યસ્વભાવની દૃષ્ટિથી, પર્યાયમાં જે વિકૃત ( વિકાર) અવસ્થા (છે), એ સ્વભાવપૂર્વક નહી થવાથી-કર્મપૂર્વક થવાથી, સદા અચેતન કહેવામાં આવ્યા, એ કારણે એ જડ છે. – લોજિકથી ન્યાયથી, આગમથી ને અનુભવથીત્રણેયથી વાત કરે છે. આહાહા! ભેદજ્ઞાની જીવ ધર્મી, એ આત્માનો અનુભવ કરે છે તો એમાં રાગ અને ભેદ નથી આવતા, એ કારણે રાગ અને ભેદ, આત્માના નથી. આત્માના હોય તો આત્માના અનુભવમાં એ પણ આવવા જોઈએ. આવી વાત છે. અજાણ્યા માણસને તો એવું લાગે, આ તે શું? આવો ધર્મ? આ બધું વ્રતને તપને-અપવાસ કરવાને ભક્તિ કરવી જાત્રા કરવી- ભગવાનના દર્શન કરવા–ભગવાનની મૂર્તિ સ્થાપવી-રથયાત્રા કાઢવી, (એ ધર્મ નહીં!) અરે, સાંભળીને ભાઈ ? એ ક્રિયા તો પરની છે અને તારો ભાવ જો હોય તો એ રાગ છે, અને એ રાગ, ઈ સ્વભાવપૂર્વકનો, સ્વભાવનું એ કાર્ય નથી. આહાહા! એ તોપુદ્ગલ (કર્મ) પૂર્વકના થતાં હોવાથી પુગલનું કાર્ય છે. ગજબ વાત કરી છે! અરે, આવું નહી મળે સાંભળવા ક્યાં જાવું એને!? અરે, (આ) ભવને બદલીને જાણે ક્યાંક ! આહાહાહા ! જેણે આત્મા-અભેદ, પુદ્ગલ કર્મપૂર્વકના વિકારથી રહિત, (નિર્વિકાર) એવા સ્વભાવની દૃષ્ટિ ને જ્ઞાન કર્યું નથી, એ મરીને રખડી જશે, નિગોદ ને નર્ક આદિમાં જશે. એક એક ગાથા ! કેટલા લોજિક-ન્યાય, આગમ અને અનુભવી (ના અનુભવપૂર્વક!) –અનુભવીને સોપ્યું 'તું. હે? એ આવ્યું છે ને ! ઓલામાં ૪૯ માં નહીં ! ભેદજ્ઞાનીને સર્વ સોપ્યું છે. છે ને ! એટલે શું? કે જે આત્મા અખંડાનંદ સ્વરૂપ પ્રભુ! એનો જે અનુભવ કરે છે ( એવા તે) ભેદજ્ઞાનીઓને એ રાગને ભેદ (અનુભવમાં) આવતા નથી. તો તેને સર્વસ્વ સોપી દીધું કે તારી ચીજમાં (આત્માનુભવમાં) એ નથી. અનુભવમાં આવે છે તો ત્યાં આનંદને જ્ઞાનને શાંતિ આવે છે. ત્યાં રાગને એ (ભેદ) અનુભવમાં નથી આવતા, માટે તે ભેદ છે ( રાગ છે), ભેદજ્ઞાનીઓને બધું સોપી દીધું! આહાહા! આ તો હા-હો, હા-હો આમ થાય ને મોટી જાત્રાયું ને માણસ (ભેગાં થાય) લાખ!

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363