________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. આ અંગે તમે એકાંતમાં આત્મસાક્ષીએ વિચારો. મહાદેવી, આ ચિંતન, મનન કરતાં કરતાં મોહ ઘટશે અને જ્ઞાનદૃષ્ટિ ખૂલશે.”
રાણી સુષમાદેવી ટગર ટગર રનવતીને જોતી રહી. રત્નપતીની વાતોએ એને વિચાર કરતા કરી દીધી. તેણે પૂછ્યું : ‘પરંતુ આ બધા પ્રશ્નોનું સમાધાન દીક્ષા લેવાથી થઈ જશે?”
હા, ચારિત્રધર્મના પાલનથી આ બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે!' કે ક્યારેય પણ ચાલ્યું ના જાય તેવું અક્ષય યવન મળશે. છેક્યારે પણ જન્મ-મૃત્યુનાં દુઃખો સહેવાં ના પડે તેવું જીવન મળશે. આ શાશ્વત સંપત્તિ મળશે.
કદી પણ નષ્ટ ના થાય તેવી આત્મસત્તા મળશે. સુષમાદેવીએ પૂછયું : “આવું બધું ક્યાં મળશે?”
એને “મોક્ષ' કહેવાય છે, મુક્તિ કહેવાય છે, નિર્વાણ પણ કહેવાય છે.... ત્યાં સર્વ કાળ માટે સુખ... સુખ ને સુખ હોય છે... ક્યારેય કોઈ વાતનું ત્યાં દુઃખ હતું નથી.'
સુષમા આજે અવનવી વાતો સાંભળતી હતી. તે રાણી હતી. રૂપ, યૌવન અને લાવણ્યની સ્વામિની હતી. સમગ્ર કાશીદેશનું એ સ્ત્રીરત્ન હતું. અલબત્ત એનામાં માનવીય ગુણો હતાં, પરંતુ ધર્મ અને અધ્યાત્મ સાથે એને નામ માત્રનો પણ સંબંધ ન હતો. રત્નાવતીએ ખૂબ પ્રેમથી કહ્યું:
મહાદેવી, ઉત્તમ સુખોની પ્રાપ્તિ ધર્મથી જ થાય છે. ઉત્તમ ધર્મ છે ચારિત્રધર્મ. દેવલોકનાં દિવ્ય સુખોની પ્રાપ્તિ પણ ધર્મથી જ થાય છે. અરે, દેવી! આજે તમને આ મહેલમાં જે સુખો મળ્યાં છે, તે પણ ધર્મના જ પ્રભાવથી મળ્યાં છે. હવે જો આ જીવનમાં તમે પાપોનો ત્યાગ નહીં કરો, અને ધર્મને જીવનમાં નહીં જીવો, તો ભવિષ્યના જન્મોમાં તમને સુખ નહીં મળે. સુખ વગરના અને દુઃખોમાં રિબાતા જીવોને તમે આ નગરમાં નથી જોતાં? એનું કારણ આ જ છે. એ લોકોએ ધર્મ નથી કરેલો...' મહારાણી, તમારી વાતો કંઈક સમજાય છે હવે!”
૦ ૦ ૦. મહોત્સવ ઊજવાઈ ગયો. છે દાન દેવાઈ ગયું.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨૮૫
For Private And Personal Use Only