________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ભવિષ્હ સૂરિ’
ધનવાન બન્યાં પછી લલ્લિગ શ્રાવક, ગુરુદેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજીને એક દિવસે કહ્યું: ‘ગુરુદેવ, મને કોઈ શ્રેષ્ઠ સુકૃત બતાવો.'
‘મહાનુભાવ! તું શ્રુતભક્તિ અને ગુરુભક્તિનું શ્રેષ્ઠ સુકૃત કરે જ
છે!'
‘ગુરુદેવ, એ તો મારું કર્તવ્ય છે...’
‘તો ભાગ્યશાળી, તું દીનહીન અને યાચકોને અનુકંપાદાન આપ. પર-ઉપકાર એ શ્રેષ્ઠ સુકૃત છે.’
લલ્લિગ શ્રાવકનું ચિત્ત ઉલ્લસિત થયું.
પ્રતિદિન, જ્યારે ગુરુદેવ આહાર વાપરવા બેસતાં ત્યારે ઉપાશ્રયના ઓટલા પર ઊભો રહી, લલ્લિગ શ્રાવક શંખ વગાડતો. યાચકો ત્યાં ભેગા થતાં, લલિંગ શ્રાવક તેમને ભોજન આપો. ભોજન કરીને યાચકો ગુરુદેવ હરિભદ્રસૂરિજીને વંદન કરતાં, ગુરુદેવ તે યાચકોને આશીર્વાદ આપતા કે - 'તમારો ભવ-વિરહ થાઓ!
પાચકો કહેતા – ‘ઘણું જીવો ભવવિરહસૂરિ!'
આ કારણે હરિભદ્રસૂરિજીનું બીજું નામ ‘ભવિરહસૂરિ' પ્રસિદ્ધ થયું હતું.
‘ભવિરહ‘ શબ્દ હરિભદ્રસૂરિજીનો પ્રિય શબ્દ હતો. તેમના લગભગ ઘણા ગ્રંથોના અંતે ‘ભવવિરહ’ શબ્દ હોય જ છે!'
For Private And Personal Use Only