________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ત્રણે રાણીઓને ‘અભય'નું મહત્ત્વ સમજાયું.
મહર્ષિ સમરાદિત્યે શ્રેષ્ઠી ત્રિલોચનને કહ્યું: ‘હે મહાનુભાવ, તારા પ્રશ્નનો ઉત્તર તને મળી ગયો ને?’
‘હા ભગવંત! આપે કહ્યું તે યથાર્થ છે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અયોધ્યામાં એક મહિનો પસાર થઈ ગયો. એક મહિનામાં અનેક આત્માઓ પ્રતિબોધ પામ્યાં. કેટલાક પુરુષોએ સર્વવિરતિમય સાધુજીવન સ્વીકાર્યું, કેટલાક લોકોએ દેશવિરતિમય ગૃહસ્થજીવન-શ્રાવકજીવન સ્વીકાર્યું. અનેક જીવોએ સર્વજ્ઞ વચનો પર શ્રદ્ધા સ્થાપિત કરી.
અવધિજ્ઞાની મહર્ષિએ અયોધ્યાથી વિહાર કર્યો. તેમણે સાથેના શ્રમણોને કહ્યું: ‘આપણે માલવ પ્રદેશ તરફ વિહાર કરીએ છીએ. આપણું લક્ષ્ય છે ઉજ્જૈની પહોંચવાનું, પરંતુ વચ્ચે આવતાં ગામ-નગરોમાં સ્થિરતા કરતાં કરતાં આગળ વધીશું...'
અને એ રીતે તેઓ માલવ પ્રદેશ તરફ આગળ વધવા લાગ્યાં. માર્ગમાં આવતાં ગામ-નગરોમાં તેઓ સ્થિરતા કરે છે... લોકોને ધર્મોપદેશ આપે છે... તત્ત્વજ્ઞાનનો પ્રકાશ આપે છે... લોકોને ઉન્માર્ગથી પાછા વાળે છે, સન્માર્ગે વાળે છે. કેટલાક હળુકર્મી આત્માઓ ચારિત્રધર્મ સ્વીકારે છે... તો કેટલાક શ્રદ્ધાવાન અને સદાચારી બને છે...
શ્રમણશ્રેષ્ઠ મોહજિતે ગુરુદેવ સમરાદિત્યને કહ્યું:
‘ગુરુદેવ, આવતીકાલે આપણે માલવ પ્રદેશની પ્રસિદ્ધ નગરી ‘ધારા'માં પ્રવેશ કરીશું. આ ધારાનગરી ધર્મરંગે રંગાયેલી નગરી છે.’
‘મોહજિત, હું જાણું છું. ધારાનગરી માત્ર ધર્મરંગે જ રંગાયેલી છે, એમ નથી, એ નગરીમાં કલાકારો... કલાસ્વામિનીઓ પણ વસે છે. આ નગરી ધન-ધાન્યથી પણ પરિપૂર્ણ છે.’
ધારાનગરીનું નામ સાંભળતાં સમરાદિત્યની માનસસૃષ્ટિમાં ધારાનું ચિત્ર સ્પષ્ટ થયું. ગૃહસ્થ અવસ્થામાં કરેલી ધારાનગરીની યાત્રા સ્મૃતિપથમાં આવી. તેમણે મોહજિતને કહ્યું:
‘મુનિવર, આપણે ધારાનગરીમાં એક માસ તો રહીશું, કદાચ વધુ સમય પણ રોકાવું પડે!'
‘આપની આજ્ઞા અમને પ્રમાણ છે.’
૧૪૩૨
૦ ૦ ૦
ધારાનગરીમાં અવધિજ્ઞાની સમરાદિત્યનાં પાવન પગલાં પડ્યાં ને ભારે
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only