________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5. છત્રાંગ-કલ્પવૃક્ષ પુષ્પમાળાઓ આપે. ૭. ચિત્રરસ-કલ્પવૃક્ષ સ્વાદિષ્ટ ભોજન આપે. ૮. મણિતાંગ - કલ્પવૃક્ષ શ્રેષ્ઠ આભૂષણો આપે. ૯. ગેહાકાર કલ્પવૃક્ષો મકાનો આપે, અને ૧૦. અનગ્ન - કલ્પવૃક્ષો ઘણાં પ્રકારનાં વસ્ત્રો આપે.
હે રાજન, સર્વજ્ઞ જિનેશ્વર ભગવંત કહે છે કે સ્ત્રી-પુરુષોને તેમના ઉપભોગ માટેની સામગ્રી, આ ૧૦ પ્રકારનાં અને બીજાં કલ્પવૃક્ષો પાસેથી પ્રાપ્ત થાય છે.
એ યુગલિક જીવોને ધર્મ અને અધર્મની વિશિષ્ટ બુદ્ધિ હોતી નથી,
આયુષ્ય ક્રમશઃ ઘટતું જાય છે. સુષમકાળના પ્રારંભે તેમનું આયુષ્ય બે પલ્યોપમનું હોય છે અને શરીર પ્રમાણે બે ગાઉનું હોય છે. ઉપભોગ-પરિભોગ પણ ઘટતો જાય
સુષમદુષમકાળ સુધી આયુષ્ય ઘટતું જાય છે. સુષમદુષમાના આરંભે એક પલ્યોપમનું આયુષ્ય હોય છે ને શરીર એક ગાઉ પ્રમાણ હોય છે. ધર્મ-અધર્મની પણ વિશિષ્ટ બુદ્ધિ હોતી નથી...'
મહારાજા પ્રસન્નચંદ્રે કહ્યું: “ભગવંત, અહીં માસકલ્પની સ્થિરતા કરવા કૃપા કરો, જેથી મારા જેવા અલ્પજ્ઞ અને આરંભ-પરિગ્રહમાં લીન જીવોને આપનો ધર્મોપદેશ સાંભળવા મળે, જ્ઞાનનો પ્રકાશ મળે અને વિરક્તિનો ભાવ મળે. ભગવંત, આપે મારા પર મહતી કૃપા કરી. હવે આપને ધર્મક્રિયાનો સમય થયો હશે... આવતી કાલે પુનઃ આપનાં દર્શન કરવા આવીશ...”
રાજાએ વિદાય લીધી... વાચકશ્રી સમરાદિત્ય પોતાની ધર્મક્રિયામાં પ્રવૃત્ત થયા.
૧80%
ભાગ-૩ * ભવ નવમાં
For Private And Personal Use Only