________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* શરીરને સુખકારી એવાં શ્રેષ્ઠ વસ્ત્ર પહેરતાં હોય છે. * સદૈવ તેઓ ખીલેલાં પુષ્પોની માળા પહેરતાં હોય છે.
* શરીર પર સુગંધી દ્રવ્યોનું વિલેપન કરતાં હોય છે. * દેવોનું શરીર તેજસ્વી હોય છે.
* દિવ્ય વર્ણ, ગંધ, સ્પર્શ... સંઘયણ અને સંસ્થાનવાળા દેવો હોય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* તેઓ દિવ્ય ઋદ્ધિ, દિવ્ય દ્યુતિ, દિવ્ય પ્રભા, દિવ્ય તેજ અને દિવ્ય લેશ્યાવાળા હોય છે.
* દેવો નૃત્ય કરે છે, નૃત્ય જુએ છે. ગીત સ્વયં ગાય છે અને ગવડાવીને સાંભળે છે. વાજિંત્રો વગાડે છે ને વગડાવે પણ છે.
ૐ આ રીતે હે ભદ્રે, દેવો દિવ્ય સુખો ભોગવતાં જીવનકાળ પસાર કરે છે. *ત્યાં દેવવિમાનોમાં નિરંતર સુગંધી પવન વહેતો હોય છે.
*ત્યાં નિર્મળ આકાશ અને દિવ્ય પ્રકાશ રેલાતો હોય છે.
ૐ ત્યાં જલાશયોમાં કમળ ખીલેલાં રહે છે અને વૃક્ષો ક્યારેય કરમાતાં નથી. ♦ ત્યાં દેવવિમાનોમાં વિવિધ વાજિંત્રોના સ્વર નિરંતર આહ્લાદ આપતાં હોય છે.
* ત્યાં પ્રિય અને ઇષ્ટ ઇન્દ્રિય-વિષયો હોય છે.
* જે દેવીઓ સાથે દેવો ત્યાં ક્રીડા કરે છે તે દેવીઓ એટલે
* સાક્ષાત્ કામદેવ જેવી.
* શ્રેષ્ઠ શણગાર સજેલી.
* મનોહર રૂપવાળી.
* ગીત-નૃત્યમાં નિપુણ.
* મનોહારી ને રતિરસમાં ચતુર.
* આનંદપૂર્ણ અને વિલાસપૂર્ણ હોય છે.
* આવી દેવીઓ સાથે દેવો સદૈવ ક્રીડારત હોય છે... જીવનનો સમય ક્યાં
પસાર થઈ જાય છે, એની ખબર જ પડતી નથી.
હે સૌમ્યું, આ રીતે તારા પ્રશ્નનો ઉત્તર આપ્યો.
ત્રીજી રાણી સુલોચનાએ વિનયપૂર્વક પૂછ્યું:
‘ભગવંત, આપે જે દેવલોક અને દેવીનું વર્ણન કર્યું, તે સાંભળ્યું, ગમ્યું, પરંતુ એ દેવોનું સુખ શાશ્વત તો નહીં ને?’
૧૪૫૮
For Private And Personal Use Only
ભાગ-૩ ગ્ન ભવ નવમો