________________
પત્રીક-૩૩૪
૨૮૫
પત્રક - ૩૩૪
મુંબઈ, ફાગણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે,
ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે.
હવે પછી લખીશું હવે પછી લખીશું એમ લખીને ઘણીવાર લખવાનું બન્યું નથી, તે ક્ષમા કરવા યોગ્ય છે; કારણ કે ચિત્તસ્થિતિ તો ઘણું કરી વિદેહી જેવી વર્તે છે, એટલે કાર્યને વિષે અવ્યવસ્થા થઈ
જાય છે. જેવી હાલ ચિરસ્થિતિ વર્તે છે, તેવી અમુક સમય સુધી વર્તાવ્યા વિના છૂટકો નથી.
ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો છે તે ઉપાuિસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણું ન કરીને પ્રમાણમાં થોડા થયા છે. ઉપાધિ પ્રસંગને લીધે આત્મા સંબંધી
જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે સો છે, તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિષે રહેવું પડે છે, અને તેમાં તો છેઅત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી ( શકતું નથી. જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે
છે. સર્વસંગ' શબ્દનો લક્ષ્યાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે તે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. આ અમે ટૂંકામાં લખ્યું આ છે; અને તે પ્રકારને બાહ્યથી, અંતરથી ભયા કરીએ છીએ.
દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચય રે અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ,
એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે