________________
મેં ચારે નમુનાઓ પ્રગટ થયા છે. તે સિવાય તે પત્રના વિદ્વાન તંત્રી અને આ સંગ્રહના પ્રસિદ્ધ કર્તા રામનસુખભાઈ તરફથી શ્રી
રાયચંદ્ર જૈનકાવ્યમાળા ” ને પ્રથમ ગુચ્છક ' બહત કાવ્ય દેહનની લીએ પ્રગટ થયો છે. આ સિવાય કઈ કઈ ગ્રહસ્થો તથા જૈન સંસ્થાઓ તરફથી જૈન સાહિત્ય પ્રગટ થતું રહે છે. શ્રાવક ભીમશી માણેક મુંબઈવાળા તરફથી એ દિશામાં સ્તુતિપાત્ર પ્રયન થયો છે. તથાપિ કહેવું જોઈશે કે જેને પ્રયત્ન બીજી કામના પ્રમાણમાં કંઈજ નથી ને તેથી જૈન સાહિત્ય તરફ બીજાઓનું લક્ષ ન ગયું હોય તો તેમાં જેને કાંઈ ઓછો વાંક નથી. જૈને પણ ઠપકાપાત્ર છેજ. ઉધઈને ભંડારે ભળાવી દઈ પુસ્તકે છુપાવવાને આ કાળ નથી.
સ્થાનકવાસી જૈનેના મુનિ ધર્મસિંહજી, જેઠમલજી. ખેડીદાસજી, તિલકચંદ ઉમેદચંદજી વગેરે કેટલાક મુનિઓએ રાસ તથા કવિતાં લખ્યાનું જણાય છે. પરંતુ સ્થાનકવાસી શ્રાવકેને શાસ્ત્ર, ગ્રંથ કે તેવાં લખાણો પ્રકાશમાં લાવવાને કશો ઉત્સાહ જોવામાં આવતું નથી. સાહિત્યવિષયમાં તેઓએ પોતાની શક્તિ દેખાડી આપવી જોઈએ.
શાસ્ત્રી વૃજલાલ કાળીદાસ લખે છે કે “હમણાં જૈન લેકે જૂની ગુજરાતી ભાષા પ્રમાણે બેલતા નથી, પણ એમનાં ધર્મપુસ્તકમાં તો જાની ગુજરાતી ભાષા પ્રમાણે લખાય છે, કારણ કે તેઓ જૂનાં પુસ્તકને ઉતારો કરતાં નવાં પુસ્તકમાં ભાષા બદલતા નથી જૂની ગુજરાતીના લેખમાં જેન અને વેદધમ લેકાએ એક ધારા પ્રમાણે પુસ્તકમાં દેવનાગરી લિપિ લખી છે; પણ નવી ગુજરાતીમાં વેદધમી. લોકેએ લેખમાં ભેદ પાડે છે, જૈન લેકે તે અદ્યાપિ પ્રાચીન ધારા પ્રમાણે લખે છે” શાસ્ત્રીજીના લખવા મુજબ રાસનું લખાણ લખાયેલું જેમાં લેવાય છે.
હાલ આપણે જેને ગુજરાત દેશ કહીએ છીએ તે અસલને ગુજરાત દેશ નથી. સાક્ષર શ્રી દેવદત્ત ભાંડારકર કને જ એ અસલ ગુજરાતની રાજધાની હતું એમ કહે છે. ઉત્તરમાં ગુજરાતને વિસ્તાર વિશેષ હતો. અમદાવાદથી તે ઉત્તરમાં ઠેઠ વિકાનેર સુધી ચાતુર્માસ કરનારા તે કાળના
ન સાધુઓએ રાસેને વિશેષ ભાગ રચ્યો જણાય છે. વિકાનેર,સેજત - પાલી, મારવાડ, મેડતા, સાદડી, નાગર, પાલણપુર, અણહિલપુરપાટણ, અ