Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 3
________________ ( પ્રસ્તાવના : ખાણ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર, રાજકોટ, ૧૯૮૯માં સ્થાપના થઈ અને ઉત્તરોત્તર વધુને વધુ મુમુક્ષુઓ આ મંદિરમાં સ્વાધ્યાય, ભક્તિ અને દર્શનનો લાભ લેતા થયા છે. મંદિરમાં દર રવિવારે સ્વાધ્યાય-ભક્તિ થાય છે. ઉપરાંત દરરોજ સવારે સ્વાધ્યાય વર્તુળનો સત્સંગ પણ નિયમિત થાય છે. મુમુક્ષુઓ. ઉલ્લાસિત ભાવે જોડાય છે તે ખુશીની વાત છે. સ્વાધ્યાય વર્તુળનું સંચાલન છેલ્લા ૧૭ વર્ષથી આ. શ્રી વસંતભાઈ ખોખાણી સાથે આત્માર્થી ભાઈ શ્રી મધુભાઈ પારેખ સારી રીતે કરતા રહ્યા છે. તેમને શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનો ઊંડો અભ્યાસ છે. મંદિરમાં પ્રસંગોપાત સ્વાધ્યાય આપે છે. ઉપરાંત તેઓ અવારનવાર ઈડર, વવાણિયા, મોરબી, હમિ (કર્ણાટક) સ્વાધ્યાય અર્થે જાય છે. પરમ કૃપાળુદેવ પ્રત્યે તેમનો ભક્તિભાવ ઉત્તમ છે. શ્રીમદ્જીનાં ૧૫૦માં જન્મવર્ષ દરમ્યાન વિવિધ પ્રકારે ઊજવણી આખુ વર્ષ આ મંદિરમાં કરવામાં આવી છે, તેનો એક ભાગ રૂપે આ શ્રી મધુભાઈએ આ પ્રજ્ઞાબીજ ગ્રંથની રચના સુંદર રીતે કરી છે. જેમાં ૫. . દેવનાં ૧૭માં વર્ષથી લખાયેલા પત્રો, કાવ્યો, આત્મસિદ્ધિશાસ્ત્ર અને નોંધપોથીમાંથી ખાસ ધ્યાનમાં લેવા જેવા બોધવચનો વ્યક્ત કરી તેની સમજ સાદી અને સરળભાષામાં આપી છે. આ ગ્રંથ વાંચતા તેમની ચિંતન અને મનન કરવાની વૃત્તિ સહેજે જણાઈ આવે છે. આત્માર્થી શ્રી મધુભાઈએ આ વર્ષમાં પ્રથમ પ્રયાસરૂપે એક નાની પુસ્તિકા પણ લખી-પ્રસિદ્ધ કરી છે, જેમાં શ્રીમદ્જીનું મોક્ષમાર્ગ દર્શાવતું કાવ્ય “મૂળ Alaus euenox H 3 BRERA

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 304