Book Title: Padarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 195
________________ 176 જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી સમ્યક્તના કારણે આ પ્રકૃતિઓ ન બંધાય. રૈવેયકમાં ભવના કારણે આ પ્રકૃતિઓ ન બંધાય. છેલ્લા અંતર્મુહૂર્તમાં ફરી સમ્યક્ત પામી બે વાર 66 સાગરોપમ સુધી સમ્યક્ત પાળી અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે ક્ષપકશ્રેણિ માંડે. તેમાં ૭મા ગુણઠાણાના ચરમ સમયે આ પ્રવૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. (18) પંચેન્દ્રિયજાતિ, સમચતુરસસંસ્થાન, વજઋષભનારાચસંઘયણ, તેજસ 7, સુખગતિ, શુભ વર્ણાદિ 11, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, નિર્માણ, ત્રસ 10 = 36 :- ઉપશમશ્રેણિ માંડ્યા વિનાની પ્રક્રિયાથી પિતકર્માશ થયેલ જીવને ૮મા ગુણઠાણાની પ્રથમ આવલિકાના ચરમ સમયે આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય. ત્યાર પછી ગુણસંક્રમથી આવેલા દલિકોની સંક્રમાવલિકા પૂર્ણ થઇ જવાથી તે દલિકોનો સંક્રમ થતો હોવાથી જઘન્ય પ્રદેશસંક્રમ ન થાય. ' (19) પહેલા સંઘયણ સિવાયના 5 સંઘયણ, પહેલા સંસ્થાન સિવાયના 5 સંસ્થાન, કુખગતિ, દુર્ભગ 3, નપુંસકવેદ, નીચગોત્ર = 16 :- ક્ષપિતકર્માશ જીવ 3 પલ્યોપમ આયુષ્યવાળો મનુષ્ય થાય. છેલ્લા અંતર્મુહૂર્તમાં સમ્યક્ત પામી બે વાર 66 સાગરોપમ સુધી સમ્યક્ત પાળી આ પ્રવૃતિઓના ઘણા દલિકોને ખાલી કરે. પછી ક્ષપકશ્રેણિ માંડે. તેમાં ૭મા ગુણઠાણાના ચરમ સમયે વિધ્યાતસંક્રમથી આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. (20) ઔદારિક 7 :- અન્ય જીવો કરતા ઔદારિક ૭ની અલ્પ સત્તાવાળો જીવ 3 પલ્યોપમ આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચ a પંચસંગ્રહ સંક્રમકરણ ગાથા ૧૧૪ની બન્ને ટીકાઓમાં પાના નં. 92 ઉપર પહેલા સંઘયણનો જઘન્ય પ્રદેશસંક્રમ ક્ષપિતકર્માશ જીવને પોતાના બંધવિચ્છેદસમયે કહ્યો છે.

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266