Book Title: Padarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ કર્મપ્રકૃતિ સંક્રમકરણ મૂળગાથા-શબ્દાર્થ सो संकमो त्ति वुच्चइ, जं बंधणपरिणओ पओगेणं / पगयंतरत्थदलियं, परिणमयइ तयणुभावे जं // 1 // જે પ્રકૃતિના બંધક તરીકે પરિણત થયેલો જીવ વીર્યવિશેષથી અન્યપ્રકૃતિમાં રહેલા દલિકને તે (બધ્યમાન પ્રકૃતિ)ના સ્વભાવરૂપે જે પરિણાવે છે તે સંક્રમ એમ કહેવાય છે. (1) दुसु वेगे दिट्ठिदुर्ग, बंधेण विणा वि सुद्धदिट्ठिस्स / परिणमयइ जीसे, तं पगईइ पडिग्गहो एसा // 2 // વિશુદ્ધ સમ્યગ્દષ્ટિને બંધ વિના પણ સમ્યક્વમોહનીયમિશ્રમોહનીયમાં મિથ્યાત્વમોહનીય, અને મિશ્રમોહનીયમાં સમ્યક્વમોહનીય સંક્રમે છે. જે પ્રકૃતિમાં અન્ય પ્રકૃતિનું તે દલિક પરિણાવે છે તે પ્રકૃતિ સંક્રમતી પ્રકૃતિનું પતઘ્રહ છે. (2) मोहदुगाउगमूलपगडीण, न परोप्परंमि संकमणं / संकमबंधुदउव्वट्टणा-लिगाईणकरणाइं // 3 // દર્શનમોહનીય-ચારિત્રમોહનીયમાં, આયુષ્યમાં અને મૂળપ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમ ન થાય. સંક્રમાવલિકામાં રહેલું, બંધાવલિકામાં રહેલું, ઉદયાવલિકામાં રહેલું, ઉદ્વર્તનાવલિકામાં રહેલું વગેરે(ઉપશાંત થયેલું દર્શનમોહનીય સિવાયનું મોહનીયનું) દલિક બધા કરણોને અયોગ્ય છે. (3)

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266