Book Title: Padarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 219
________________ 200 વ્યાઘાત રસઉદ્વર્તના આવલિકા અસંખ્ય દલિતોની રસઉદ્વર્તના આ પ્રમાણે થાય - બંધાવલિકા ઉપરની સ્થિતિના દલિકોના રસસ્પર્ધકો અતીત્થાપનાવલિકા પ્રમાણ સ્થિતિઓના રસસ્પર્ધકો ઓળંગી ઉત્કૃષ્ટ અબાધા સુધીની બધી સ્થિતિઓના રસસ્પર્ધકોમાં નાંખે. તેથી ઉત્કૃષ્ટ નિક્ષેપ = ઉત્કૃષ્ટ અબાધા - (2 આવલિકા +1 સમય) પ્રમાણ સ્થિતિઓના રસસ્પર્ધકો. બંધાવલિકા ઉપરની બીજી સ્થિતિના દલિકોના રસસ્પર્ધકો અતીત્થાપનાવલિકા પ્રમાણ સ્થિતિઓના રસસ્પર્ધકો ઓળંગી ઉત્કૃષ્ટ અબાધા સુધીની બધી સ્થિતિઓના રસસ્પર્ધકોમાં નાંખે. તેનો નિક્ષેપ = ઉત્કૃષ્ટ અબાધા - (2 આવલિકા + ર સમય) પ્રમાણ સ્થિતિઓના રસસ્પર્ધકો. એમ ઉપર ઉપરની સ્થિતિના દલિકોના રસસ્પર્ધકોનો નિક્ષેપ 1-1 સમયની સ્થિતિના રસસ્પર્ધકો જેટલો ન્યૂન થાય. ઉત્કૃષ્ટ અબાધાથી નીચે 1 આવલિકા + આ પ્રમાણ સ્થિતિઓ ઊતરીને નીચેની સ્થિતિના દલિકોના રસસ્પર્ધકો અતીત્થાપનાવલિકા પ્રમાણ સ્થિતિઓના રસસ્પર્ધકો ઓળંગી માલ પ્રમાણ સ્થિતિઓના રસસ્પર્ધકોમાં નાંખે. આ જઘન્ય નિક્ષેપ છે. (i) વ્યાઘાત રસઉદ્વર્તના - નવા બંધાતા કર્મોની સ્થિતિ સત્તાગત સ્થિતિ કરતા વધુ હોય તો ત્યારે થનારી રસઉદ્વર્તન એ વ્યાઘાત રસઉદ્વર્તના છે. તે વ્યાઘાત સ્થિતિઉદ્વર્તનની જેમ જાણવી, માત્ર સ્થિતિની બદલે તેમાં રહેલ રસસ્પર્ધકો જાણવા. રસઉદ્વર્તનાનું આ વિવરણ કર્મપ્રકૃતિની બન્ને ટીકાઓ અને પંચસંગ્રહની બન્ને ટીકાઓના આધારે કર્યું છે. કષાયમામૃતાચૂર્ણિ અને તેની જયધવલાટીકામાં રસઉદ્વર્તનાનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે - a 2 આવલિકા = બંધાવલિકા + અતીત્થાપનાવલિકા. નાવલિકા અસંખ્ય

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266