________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૨૫ અંદરમાં પર્યાયદષ્ટિએ કર્મ-નોકર્મ સાથે સંબંધ છે, છતાં બિલકુલ સંબંધ નથી એમ માને છે તે પણ મિથ્યાષ્ટિ છે; કેમ કે કર્મ નોકર્મનું નિમિત્તપણે બંધન તો પ્રત્યક્ષ જોઈએ છીએ.
આત્મા અને શરીર બન્નેની અવસ્થા સ્વતંત્ર જ્ઞાનાવરણાદિથી જ્ઞાનાદિકનો ઘાત જોઈએ છીએ એટલે કે તેનો નિમિત્તનૈમિત્તિકસંબંધ અહીં બતાવે છે કે આત્મામાં જ્ઞાનની પૂર્ણ દશા નથી ત્યારે નિમિત્તરૂપે જ્ઞાનાવરણીય કર્મ છે. વળી આત્માને અને શરીરને પણ નિમિત્તનૈમિત્તિકસંબંધ છે, કેમ કે શરીર વડે તેના અનુસાર થતી અવસ્થા જોઈએ છીએ. શરીરના ચાલવાને અનુસાર આત્માના પ્રદેશની અવસ્થા થતી દેખાય છે. આત્માની અવસ્થામાં શરીરનું નિમિત્ત તો પ્રત્યક્ષ દેખાય છે. શરીરના કારણે આત્માની અવસ્થા થાય છે એમ નથી, પણ બન્નેની અવસ્થા સ્વતંત્ર પોતપોતાની યોગ્યતાથી થાય છે, એમાં નિમિત્તનૈમિત્તિકસંબંધ છે.
શરીરની અવસ્થા અનુસાર આત્માની અવસ્થા થાય છે-એમ અહીં કહેલ છે. હાથ ઊંચો થાય છે તો આત્માના પ્રદેશો તે જ પ્રમાણે ઊંચા થાય છે. ત્યાં આત્માની અવસ્થા તો પોતાના કારણે થાય છે, પણ સંસાર દશામાં શરીરનો સંબંધ છે. તેથી ત્યાં સુધી નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. એમ બરાબર માનવું જોઈએ. જો બિલકુલ સંબંધ જ ન હોય તો આવી અવસ્થા દેખાય છે તે ન હોય. સંબંધ હોવા છતાં સંબંધ રહિત માને તો જ્ઞાન ખોટું થાય છે, અને નિમિત્તનૈમિત્તિકસંબંધ કર્તાકર્મસંબંધ માને તો પણ ખોટું થાય છે. માટે જેમ છે તેમ માનવું જોઈએ.
દ્રવ્યદષ્ટિએ રાગાદિ અને કર્મ-નોકર્મનો સંબંધ અભૂતાર્થ છે
જ્ઞાન તો સ્વ-પરપ્રકાશક છે. એનો વિવેક એવો હોય છે કે દ્રવ્યદષ્ટિએ આત્મામાં નિમિત્તનૈમિત્તિકસંબંધ છે જ નહીં, પણ પર્યાયદષ્ટિએ બિલકુલ કર્મનોકર્મની સાથે નિમિત્તનૈમિત્તિકસંબંધ છે જ નહિ એમ નથી. હા, સામાન્ય સ્વભાવદષ્ટિમાં સિદ્ધદશા, રાગાદિ અને કર્મ નોકર્મનો સંબંધ બધું અભૂતાર્થ છે. દ્રવ્યદષ્ટિએ એ બધું નથી, પણ પર્યાયદષ્ટિએ બધું છે એમ ન જાણે તો એકાંત થાય છે. માટે જેમ છે એમ જાણવું જોઈએ; તો જ્ઞાન સમ્યક થાય છે. પર્યાયદષ્ટિએ કર્મનોકર્મનો સંબંધ ન માને તો તે મિથ્યાષ્ટિ છે. જો બિલકુલ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com