________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો કાંઈ લાભ નથી. કંઈક ક્રિયા કરીએ તો લાભ થાય. એમ માનીને તેઓ વ્રતાદિ ક્રિયાનાજ ઉદ્યમી રહે છે, પણ તત્ત્વજ્ઞાનનો ઉદ્યમ કરતા નથી. જેમ શીરો કરવો હોય તો પહેલાં ધીમાં લોટ શેકીને પછી ગોળનું પાણી નાખીને તે બનાવવો જોઈએ. તેને બદલે પહેલાં ગોળના પાણીમાં લોટ શેકે તો શીરો થાય નહિ. તેમ અજ્ઞાની જીવ પહેલાં બાહ્ય ક્રિયામાં–શુદ્ધ આહાર આદિની ક્રિયા કરવામાં ઉધમી રહે છે, જાણવાથી ને માનવાથી કાંઈ લાભ થતો નથી-એમ માને છે; અને કહે છે કે જાણ્યા પછી તો ક્રિયા કરવી પડે છે ને? તો એ માન્યતા મૂઢ જીવની છે. તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ મોક્ષમાર્ગ છે. એની ખબર નથી. સમ્યગ્દર્શનમાં નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે, પછી અંતર્લીનતા કરે તે ચારિત્ર છે. સમ્યજ્ઞાન વિના સમ્યક્ચારિત્ર હોતું નથી.
કરણી વાંઝણી નથી મજૂરને મજૂરીનું ફળ મળે છે, એમ માનીને ક્રિયા કરે છે. તો તેને ક્રિયાનું ફળ ચાર ગતિમાં રખડવાનું મળે છે. વળી તે કહે છે કે બહુ જ્ઞાન થઈ ગયું હોય તો ચારિત્ર આવવું જોઈએ; પણ ચક્રવર્તી આદિ સમ્યગ્દષ્ટિ હજારો વર્ષ સુધી સંસારમાં રહે છે એ વાતની એને ખબર નથી. તેથી તે મંદ કષાયરૂપ વ્રતાદિનો ઉદ્યમી રહે છે, પણ આત્માને સમજવાનો પુરુષાર્થ કરતો નથી.
બહુ જાણે તે બહુ ચીકણા હોય છે, માટે બહુ જાણવું નહિ–એમ માને છે; પણ સૂક્ષ્મ વાતને બરાબર જાણવી જોઈએ. ભગવાન તો દયાદાન આદિના પરિણામને પણ સ્થૂલ કહે છે. શ્રી સમયસાર ગાથા ૧૫૪ માં કહે છે કે અત્યંત સ્થૂલ એવા શુભ પરિણામમાં અજ્ઞાનીની રુચિ હોય છે. શરીરાદિની ક્રિયા તો સ્થૂલ છે જ; એની તો અહીં વાત જ નથી. પણ આત્મામાં શુભપરિણામ આવે છે તેને શ્રી અમૃતચંદ્ર આચાર્યે અત્યંત સ્થૂલ કહેલ છે. કેમ કે તે બંધના કારણ છે. અહીં વ્યવહા૨ાભાસી મિથ્યાદષ્ટિનો અધિકાર છે. એમાં કહે છે કે જે શુભપરિણામને ભગવાન અત્યંત સ્થૂલ કહે છે તેમાં અજ્ઞાની મગ્ન રહે છે. આત્મામાં સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય થાય છે તે સૂક્ષ્મ છે; તથા આત્માનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ પરમ સૂક્ષ્મ છે. જ્ઞાનીના શુભપરિણામને વ્યવહાર કહે છે. અજ્ઞાનીને વ્યવહા૨ હોતો નથી.
સાત તત્ત્વ ભિન્ન ભિન્ન છે. એને ભિન્ન ભિન્ન ન માને ને એક તત્ત્વ પણ ઓછું માને તેને સાત તત્ત્વની શ્રદ્ધા નથી. સાતે તત્ત્વ સ્વતંત્ર છે.-એમ યથાર્થ જ્ઞાન થયું તેવા જીવને કદાપિ કાંઈ વ્રતાદિક ન હોય તોપણ એ અસંયત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com