________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૧૭૩ કુદેવાદિને માને છે. તેને તો ક્ષેત્રશુદ્ધિ પણ નથી. સર્વશે કહેલો માર્ગ તે જ માર્ગ છે એમ માને છે, પણ સમ્યગ્દર્શનરૂપ બીજ વિના લાભ નથી. જેને કેવળજ્ઞાનમાં શંકા છે, જેને મહાવિદેહક્ષેત્રની શંકા છે, અસંખ્ય દ્વીપસમુદ્ર હશે કે નહિ, તેવી શંકાવાળાને આગમની શ્રદ્ધા નથી. તે તો વ્યવહારાભાસીમાં પણ આવતો નથી. હું જ્ઞાયક છુંએવા ભાનપૂર્વક રાગ હોય, તેના રાગને વ્યવહાર કહે છે. જે વીતરાગ સર્વજ્ઞ કથિત ધર્મ તથા વેદાન્તાદિને સરખા માને તો તે મિથ્યાદષ્ટિ છે.
પ્રશ્ન- મધ્યસ્થ બુદ્ધિ રાખે તો?
સમાધાન - વિષ્ટા ને શીરામાં મધ્યસ્થ બુદ્ધિ રાખે તો? તેને એક માનવા તે મૂર્ખાઈ છે. બન્નેને જેમ છે તેમ જાણે તે મધ્યસ્થ છે. અરીસાની સામે જેવા જેવા પદાર્થ હોય તેવા તેવા અરીસો બતાવે છે. તેમ જ્ઞાન જેવા પદાર્થો છે, તેમ તેને જાણે છે. અરીસાની સ્વચ્છ પર્યાય પોતાના કારણે થાય છે તેમ ચૈતન્ય અરીસામાં વિરૂદ્ધ ચીજો જેમ છે તેમ જણાય છે. કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ નથી. વળી વ્યવહાર સુધારવા છતાં પરમાર્થનું ભાન નથી તે મિથ્યાદષ્ટિ છે. આ પ્રમાણે સમ્યગ્દર્શનમાં શું ભૂલ કરે છે તે બતાવી. હવે જ્ઞાનમાં શું ભૂલ કરે છે તે બતાવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com