Book Title: Kalashamrut 6
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 463
________________ કળશ- ૨૧૯ ૪૪૯ અપરાધને લઈને (છે). આહાહા.! સમજાણું કાંઈ? એમ માને છે કે જીવનો સ્વભાવ રાગ-દ્વેષ.” એટલે પુણ્ય-પાપ. દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ તે પુણ્ય રાગ છે. હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, વાસના એ પાપરાગ છે. અને પ્રતિકૂળ શેયને લક્ષમાં લઈને કે આ પ્રતિકૂળ છે એમ કરીને દ્વેષ કરે, એ રાગ અને દ્વેષનો કરનાર જીવ નથી એમ અજ્ઞાની કહે છે. સમજાણું કાંઈ? પરિણમવાનો નથી...” પરદ્રવ્ય એને કરે છે. આહાહા! આ શરીરને લઈને અંદર વિકાર થાય છે. જૂઠી વાત છે. શરીર જડ પર છે અને વિકાર તું તારી દશામાં કરે છે. શરીરને લઈને વિકાર થતો નથી. આહાહા...! “સંસાર-ભોગસામગ્રી.” એ શરીર, કર્મ અને સંસાર આખો ઉદયભાવ અને ભોગની સામગ્રી. આમ અનુકૂળ પૈસા, આબરુ, બાયડી, છોકરા અનુકૂળ દેખી અને એને લઈને અહીંયાં રાગ-દ્વેષ થાય છે એમ નથી. આહાહા...! સમજાણું કાંઈ? અજ્ઞાની એમ માને છે એમ નથી. ભોગની સામગ્રી. આહાહા.! ખાવાપીવાના મેસૂબ, જોવાની રૂપાળી વેશ્યાઓ અને સૂંઘવાના ફૂલબાગ એ બધી ભોગસામગ્રીઓ આત્માને વિકાર કરાવે છે એમ અજ્ઞાની કહે છે. એ વાત જૂઠી છે. આહાહા! છે? બલાત્કારે જીવને રાગ-દ્વેષરૂપ પરિણમાવે છે.” જોયું? એ શરીર, ઇન્દ્રિયો... આહાહા.! શરીરમાં વિકત દશા થાય એથી એને લઈને આત્મામાં વિકાર થાય છે. આહા..! એ શરીરને લઈને વિકાર થાય છે, એમ નથી. એ તો પરવસ્તુ છે. આહાહા! સ્ત્રી બહુ અનુકૂળ અને રૂપાળી દેખીને અમને વિકાર થાય છે એટલે એને લઈને વિકાર થાય છે, જૂઠી વાત છે. એ તો જ્ઞાનમાં શેય તરીકે જાણવા લાયક છે એને ઠેકાણે તેં માન્યું કે આ ઠીક છે. એ તો રાગ તેં કર્યો, વિકાર તારે કારણે થયો, એને કારણે થયો નથી. આહાહા. ન્યાયથી, લોજીકથી કંઈ સમજશે કે નહિ? આ તો તત્ત્વ એમ ને એમ માનવું એમ નહિ. અંદર ન્યાયના ભાવભાસન થાય કે સત્ય આ છે અને અસત્ય આમ છે. ત્યારે એને જ્ઞાનમાં યથાર્થ પ્રતીતિ થાય. આહાહા.! પણ એ નવરાશ ક્યાં? આહાહા.! જગતની હોળી સળગે આખો દિ. બાયડી, છોકરા, કુટુંબ, રળવું, ખાવું, પીવું, ભોગ, છ-સાત કલાક સૂવું. થઈ રહ્યું, જાઓ! જિંદગી બિરબાદ, બરબાદ. આહાહા.! અહીં કહે છે, “શરીર–સંસાર... સંસારની બધી સામગ્રીઓ. એ બાયડી, છોકરા, કુટુંબ. સગાવ્હાલા એ બધા બળાત્કારે જીવને રાગ-દ્વેષપણે પરિણાવે છે. આહાહા.કર્મનો ઉદય આવે નિમિત્ત એટલે આત્મામાં કરવો જ પડે. નિમિત્ત થઈને જ આવે, એમ કહે છે. તદ્દન જૂઠી વાત છે. આહાહા. પરંતુ એમ તો નથી...” જોયું? આત્માને વિકાર પરિણામ કર્મ, શરીર, સંસારભોગ સામગ્રી બળાત્કાર કરે છે એમ છે જ નહિ. આહાહા...! મુમુક્ષુ :- બિમારીમાં મગજ પાગલ થઈ જાય તો પાગલ નથી થવા માગતું કોઈ. ઉત્તર :- પાગલ થઈ ગયો છે, મૂઢતા પોતે પ્રગટ કરી છે. એ મૂઢતા પોતે કરી છે.

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491