________________
નં. ૫૧
શીલાદિત્ય ૧ લા(ધર્માદિત્ય)નાં પાલિતાણાનાં તામ્રપત્રો
સંવત્ ૨૮૬ વૈશાખ વદ ૬ રાય બહાદુર વિ. વૈકચ્યએ મારા ઉપર કૃપા કરીને આ પતરાનું વર્ણન નીચે પ્રમાણે આપ્યું છે –“ લેખનું એક જ પતરું સાચવેલું છે. તેને નીચેના ભાગમાં બે કડીનાં કાણું છે; પરંત કડી અથવા તેના પરની મુદ્રા મળી શકતાં નથી. પતરાને એક હાને કકડો ઉપરના ડાબા ખુણેપરથી ભાગી જવાથી 9 ચિહ્નને થોડો ભાગ બગડી ગયા છે. એ જ પ્રમાણે ૧૦ મી પંક્તિની શરૂવાતને છેડો ભાગ પણ ગયો છે, પરંતુ એક પણ અક્ષરને નુકશાન થયું નથી. પતરાની એક જ બાજુએ કાતર કામ કરેલું છે. અને કેતરનારનાં ઓજારોનાં ચિહ્નો પાછળની બાજુએ સંપૂર્ણ રીતે દેખાય છે. પતરાની લંબાઈ ૧૧થી ૧૧ની છે અને ઉંચાઈ લગભગ ૮ ” છે.
પતરા ઉપર સુંદર રીતે લખેલી ૧૮ પંક્તિઓ છે. દરેક અક્ષરની સરાસરી ઉંચાઈ ” છે. લિપિ શીલાદિત્ય ૧ લાનાં દાનપત્રોમાંની લિપિને મળતી છે.
પતરામાં ફક્ત દાનપત્રના નિયમ પ્રમાણેને થોડો ભાગ છે અને શીલાદિત્ય ૧ લા ધર્મદાયના વર્ણનથી ભાગી ગયેલ છે. પરંતુ આ દાનપત્ર તેનું જ છે, એ મી. જેકસનને મત ખરો છે એ વાત તદ્દન નક્કી છે.
ડા. ભાંડારકરે પ્રસિદ્ધ કરેલા સંવત ૨૮૨ વશાખ-વદ ૬ ના, શીલાદિત્ય ૧ ( ધર્માદિત્ય)ના વળાના બીજા પતરાના અવશેષપરના આ પહેલા શબ્દો છે. પ્રસિદ્ધકર્તાના આધાર પ્રમાણે આ પતરું ૧૨” લાંબું અને ૮ઉંચું છે. એટલે આપણું પતરા સાથે માપ પણ મળતું આવે છે. અને બે પતરાં જેડકાં જ છે, એ વિષે કંઈ પણ શંકા નથી. એટલે હવે આખું દાનપત્ર આપણી પાસે મોજુદ છે. ડા. ભાંડારકરે પ્રસિદ્ધ કર્યું છે તે ઉપરથી એમ જણાય છે કે બીજું પતરું સંભાળપૂર્વક રાખેલું નથી. પહેલા પતરા સાથે ફરીથી પ્રસિદ્ધ કરી શકાય તે માટે તે પતરૂં મેળવવા માટે મેં રાવ. બહાદુર વિ.વેકને વિનંતી કરી હતી, પરંતુ એમને પ્રયાસ ફળીભૂત થયો નથી. એટલે હું શરૂવાત જ પ્રસિદ્ધ કરૂં છું.
પ્રો. સ્ટેનકેન ઈ. એ. વ. ૧jપા. ૪૬ બીજું પતરૂં પ્રો.
૧ એ. ઈ. વ. ૧૧ પા. ૧૧૫-૧૫૬ પહેલું પતરૂ ભાંડારકર ૨ જી ઈ. એ. વો. ૧ પા. ૪૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com