Book Title: Dikshanu Sundar Swawrup Author(s): Sagaranandsuri Publisher: Harshpushpamrut Jain Granthmala View full book textPage 8
________________ સમક્ષ જે વાતાવરણ, જે સાહિત્ય અને જે દલીલનાં તો મૂકાયાં હોય છે, તેને જ અનુલક્ષીને આમ જનતા દેરાય છે. આ સ્થિતિમાં જે સત્ય વસ્તુનું ઘટતું વાતાવરણ ખડું ન કરાય, તે સત્ય વસ્તુનું સમર્થન કરનારું સાહિત્ય પ્રસિદ્ધ કરીને તેને જે પૂરતા પ્રમાણમાં પ્રચાર ન કરવામાં આવે, અને સત્યને વિરોધ કરનારાઓની દલીલનાં તોને તોડીને વાસ્તવિક દલીલને ભંડળ જે જનતા સમક્ષ રજૂ ન થાય, તે અજ્ઞાનના ગે આમ વર્ગ સત્યથી ઉલ્ટી દિશામાં ઘસડાઈ જવાને પૂરેપૂરો સંભવ છે. પરન્તુ જમાનાવાદ-જડવાદના ઉપાસક બની જઈને, જેનશાસનના પ્રાણરૂપ ભાગવતી દીક્ષા હામે જ્યારથી કેટલાકએ ચર્ચા ઉપાડી, ટીકા કરવા માંડી અને પછી નિન્દા કરવાની પ્રવૃત્તિ ઉપાડી, ત્યારથી પવિત્ર દીક્ષાના હિમાયતીઓએ પણ તે જડવાદીઓની ચર્ચા, ટીકા અને નિન્દામાં રહેલાં બૂરાં તને પ્રતિકાર કર્યો, તેમજ ભાગવતી જૈન દીક્ષા વિષેનું શાસ્ત્રીય વિધાન, એની ઉપયોગીતા અને એથી થતી કલ્યાણ પરંપરા વિગેરે સમજાવતું સાહિત્ય પૂ. સમર્થ વિદ્વાન આચાર્યાદિ મુનિવઓએ બહાર મૂકવા માંડયું. અને આજે તે એવા સાહિત્યથી શાસ્ત્રને અનભિજ્ઞ શ્રદ્ધાળુ પણ ભાગવતી જૈન દીક્ષાના સંબંધમાં જૈન શાસ્ત્રોની શી શી આજ્ઞાઓ છે, તે સારી રીતે સમજી શકે તેવાં પ્રકાશને થઈ ગયાં છે. પ્રસ્તુત ગ્રંથ પણ તેજ પંક્તિમાં એક છે. શ્રી જેનાગમના ધુરંધર વિદ્વાન અને સમર્થ જ્ઞાની પરમ પૂજ્ય આચાર્યવચ્ચે શ્રીમત્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 270