________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
“તીર્થંકરભગવંતોએ પ્રકારેલો દિગંબર જૈન ધર્મ જ સત્ય છે એમ ગુરુદેવે યુક્તિ-ન્યાયથી સર્વ પ્રકારે સ્પષ્ટપણે સમજાવ્યું છે. માર્ગની ઘણી છણાવટ કરી છે. દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્ય-ગુણ-પર્યાય, ઉપાદાન-નિમિત્ત. નિશ્ચય-વ્યવહાર, આત્માનું શુદ્ધ સ્વરૂપ, સમ્યગ્દર્શન, સ્વાનુભૂતિ, મોક્ષમાર્ગ ઇત્યાદિ બધું તેઓશ્રીના પરમ પ્રતાપે આ કાળે સત્યરૂપે બહાર આવ્યું છે. ગુરુદેવની શ્રુતની ધારા કોઈ જાદી જ છે. તેમણે આપણને તરવાનો માર્ગ દેખાડ્યો છે. પ્રવચનમાં કેટલું ઘોળી ઘોળીને કાઢે છે! તેઓશ્રીના પ્રતાપે આખા ભારતમાં ઘણા જીવો મોક્ષના માર્ગને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પંચમ કાળમાં આવો યોગ મળ્યો તે આપણું પરમ સદભાગ્ય છે. જીવનમાં બધો ઉપકાર ગુરુદેવનો જ છે. ગુરુદેવ ગુણથી ભરપૂર છે, મહિમાવંત છે. તેમનાં ચરણકમળની સેવા હૃદયમાં વસી રહો.”
–બહેનશ્રી ચંપાબેન
Please inform us of any errors on rajesh@atmadharma.com