Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્તર–આમ કહેવું ઠીક નથી. અહીં તે આત્માને જે વિજ્ઞાનની ઉત્પત્તિમાં
અત્યન્ત ઉપકારક છે તે ઈન્દ્રિયે છે અને તે સ્પર્શનઆદિ છે. વાફ (વાણી) પાણિ (હાથ), વિગેરે સાંખ્યાદિ સિદ્ધાંતની માનેલી ઈન્દ્રિયે આત્માને વિજ્ઞાનની ઉત્પત્તિમાં શ્રોત્ર આદિની માફક પ્રકૃષ્ટ ઉપકારક નથી માટે તે વાકુ આદિમાં ઈન્દ્રિયત્વને વ્યપદેશ જ સિદ્ધ થતું નથી. સામાન્ય રીતિથી જે આ વાત માની લેવા આવે કે જે કરણ થાય છે તે ઇન્દ્રિયે હોય છે માટે કરણ થવાથી વાફ, પાણિ વિગેરેમાં પણ ઇન્દ્રિયને સ્વીકાર કરે જોઈએ તે પછી આ પ્રકારે આત્માને માટે પિત–પિતાના વ્યાપારમાં સામાન્ય પે કરણ થવાવાળો ઉદરાદિક–પેટ વિગેરેનું પણ ઇન્દ્રિયપણું માનવું પડે ત્યારે ઇંદ્રિયોની જે સાંખ્ય સિદ્ધાન્તકારોએ અગીયાર સંખ્યા નક્કી કરેલ છે તે સિદ્ધ થતી નથી, તેથી પણ અધિક ઇન્દ્રિયે આવી રીતે
સિદ્ધ થાય છે. શંકા–શ્રોત્ર ઇન્દ્રિયથી જ રૂપાદિક અન્યઇન્દ્રિયના વિષયની પ્રત્યક્ષ કેમ થતાં નથી? ઉત્તર–આમ કહેવું ઠીક નથી. કારણકે પ્રત્યેક ઇન્દ્રિયને પિત–પોતાને વિષય
નિયત છે તેથી તે બીજા વિષયની ગ્રાહક બનતી નથી. શાસ્ત્રકાર પણ એમ કહે છે કે ઈન્દ્રિયે ભિન્ન ભિન્ન વિષયવાળી છે માટે તેઓ
પિત–પિતાના વિષય સિવાય અન્ય ઈન્દ્રિયેના વિષયની બેધક થતી નથી. શંકા–માને, આ વાત સ્વીકારવામાં આવે તે પછી રસના ઈન્દ્રિયથી રસના
જ્ઞાનનાં સમયમાં શીત, ઉષ્ણ, કર્કશ, કઠણાદિક સ્પર્શનું જે જ્ઞાન થાય
છે કેમ થાય છે ? ઉત્તર–સ્પર્શન ઈન્દ્રિય સર્વવ્યાપક છે, માટે રસના ઈન્દ્રિયના પ્રદેશમાં પણ
તેની સત્તા હેવાથી રસપ્રતીતિના સમયમાં પણ સ્પર્શના જ્ઞાનની
સુલભતા થાય છે. શંકા–જે પ્રકારે શ્રોત્રાદિકમાં ઈન્દ્રિયના વ્યપદેશ થાય છે તેમ મનમાં પણ
ઈન્દ્રિયત્વને વ્યપદેશ કેમ થતું નથી ? ઉત્તર–પ્રોત્રાદિક ઈન્દ્રિયે પિત પોતાના વિષયે ગ્રહણ કરવામાં જે પ્રકારે
સ્વતંત્ર છે તે પ્રકારે મન નથી. કારણકે તે તે ઈન્દ્રિયેનું ઉપકારક માત્ર
શ્રી આચારાંગ સૂત્ર : ૨
४७