Book Title: Adhar Abhishek Vidhan
Author(s): Saumyaratnavijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 45
________________ ( ૯. દ્વિતીયાષ્ટકવર્ગ સ્નાત્ર ) દ્વિતીયાષ્ટકવર્ગ તરીકે (૧) મેદ અને (૨) મહામેર (એ બે કંદની જાતિ), (૩) કાકોલી, (૪) ખીરકાકોલી, (૫) જીવક, (૬) ઋષભક, (૭) નખી અને (૮) મહાનખી – આ આઠ ઔષધિઓનો સમાવેશ થાય છે. • પ્રથમાષ્ટકવર્ગની જેમ આ અભિષેકમાં પણ દ્વિતીયાષ્ટકવર્ગના ચૂર્ણથી વિલેપન કરીને એ જ ઔષધિમિશ્રિત જળ વડે અભિષેક કરવો જોઈએ. ભાવશિલ્પ : સંયોજનની પણ વિશેષતા છે. (જેમ કે ગોળ અને સૂંઠનું મિશ્રણ.) જ્ઞાન અને ક્રિયા એ બેયના સંયોને જ મોક્ષરૂપી કાર્યની સિદ્ધિ થાય છે. નિશ્ચય અને વ્યવહારના સંતુલન વિનાનો મોક્ષમાર્ગ ત્રણેય લોકમાં, ત્રણે ય કાળમાં સંભવી ન શકે. આજે આ વિષયમાં ઘણી ભ્રાન્ત માન્યતાઓ પ્રવર્તે છે ત્યારે, “હે પ્રભુ ! આપની કૃપાથી આનંદઘનજીની જેમ બે'યના સંતુલન પૂર્વનું મારું આત્મશિલ્પ ઘડાઓ” એવા હૃદયના ભાવ સાથે દ્વિતીયાષ્ટકન્વર્ગચૂર્ણ યુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥ मेदाद्यौषधिभेदोऽपरोऽष्टवर्गः सुमन्त्रपरिपूतः । निपतन् 'बिम्बस्योपरि, सिद्धि विदधातु भव्यजने ॥ ૨ : G K, Hs, HA - નિનવસ્વોપરિ રિપતન, KJ - નિપાતુ ૨ : B - વિખ્વોપરિ અર્થ : સુંદર એવા મંત્રથી પવિત્ર એવો અને મેદ આદિ ઔષધિના સ્વરૂપવાળો તથા જિનબિંબ ઉપર પડતો દ્વિતીયાષ્ટકવર્ગ ના ચૂર્ણથી મિશ્રિત એવું જળ) ભવ્યજીવોને વિષે સિદ્ધિ (કાર્યસિદ્ધિ | મોક્ષ) ને કરો. મંત્ર : ૩% ટ્રૉ દÉÇ Ê ટ્રાઁ : પરમહંતે પરમેશ્વરાય ન્યપુષ્પાદિ-સન્મિત્ર मेदादिद्वितीयाष्टकवर्गचूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥ • મસ્તકેથી અભિષેક • લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો). (અભિષેક ગીત નં. ૧૦ઃ પૃ. ૧૩૩) શ્રી અઢાર અભિષેક વિધાના (૨૦) શિલ્પ-વિધિ

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78