Book Title: Shant Sudharas Sankshep
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 214
________________ મુનિશ્રી મણિચંદ્રકૃત આત્મસ્વરૂપ સક્ઝા સઝાય ૧ લી (રાગ કેદારે) જેહને અનુભવ આતમકે, હવે તે ધન્ય ધન્ય રે; સારપણું ચિત્તમાંહી તે ભાવે, ભેદ અભેદ ભિન્નભિન્ન રે ૧ અર્થ–જે જીવને આત્માનો અનુભવ થાય–થયો હોય તેને ધન્ય છે; ધન્ય છે. કારણ કે આત્મસ્વરૂપ સમજવાથી તે જ સારભૂત છે એમ તે ચિત્તમાં ભાવે-સમજે તેમજ આત્માનું ભેદભેદસ્વરૂપ અને ભિન્નભિન્ન સ્વરૂપ પણ તે સમજે. આત્મા ને પરમાત્મામાં ભેદ શા કારણે છે અને અભેદ શા કારણે છે તે સારી રીતે સમજે, આત્મા ને પરમાત્મા સ્વરૂપે તે એક સરખા છે તેથી અભેદપણું છે પરંતુ આ જીવ કમ સહિત છે અને પરમાત્મા કર્મ રહિત છે તેથી તે બંનેમાં ભેદ રહેલો છે. વળી આત્મા આ દેહથી ભિન્ન છે અને અભિન્ન પણ છે તે સમજે. ભિન્ન એટલા માટે કે આત્માનો ગુણ જ્ઞાન છે અને દેહને ગુણ-સ્વભાવ પિદુગળિક ભાવમાં રાચવામાઅવારૂપ છે. તેથી બંને મિત્ર છે અને અત્યારે આત્મા ને દેહ એકરૂપ થઈ ગયેલા છે તેથી અભિન્ન છે. આ વિચાર જેને આત્માને અનુભવ થયે હોય તેને આવે. ૧ દ્રવ્ય ગુણ પવમેં ખેલે, પરપરિણતિથી ત્યારે રે ? આપસ્વભાવમું આપહી ખેલે,કેવળના જસરેરે.જે ૨

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238