________________
પત્રાંક-૫૪૪ કાંઈ આવક માટે પ્રયત્ન કરે છે).
તમને વાત કરી છે, તમને લખ્યું છે. એવો પ્રયત્ન કર્યો છતાં તમને તે વાત પર યથાયોગ્ય ચિત્ત લાગવાનો યોગ થયો નહીં. છતાં પણ તમે જેટલું ધ્યાન દેવું જોઈએ એટલું ધ્યાન દીધું નથી અને કાંઈને કાંઈ પ્રવૃત્તિ માટે તમે ઉતાવળ કરો છો. “એટલો ચિત્તમાં વિક્ષેપ રહ્યો...” અમે તમારું ધ્યાન દોરવા માગીએ છીએ, તમારા મનમાં જે વાત ઠસાવવા માગીએ છીએ, છતાં પણ તમારા ચિત્તમાં એ વાત ચોંટી નથી. અમને એમ થયું કે આમ કેમ કરે છે? જોકે અવિશ્વાસ નથી આવ્યો કે અમારું તમે માનતા નથી. એ તો કહેશે. પણ તમારા ધ્યાન ઉપર જે રીતે વાત ચોંટવી જોઈએ, ઠસાવી જોઈએ એ રીતે રહેતી નથી એટલો અમને પણ વિક્ષેપ થાય છે, કે કેમ આટલું અમારા પ્રત્યે પણ ગૌણપણું થઈ જાય છે? અમારી વાત ઉપર પણ કેમ ગૌણપણું થઈ જાય છે? જેના ઉપર પૂરો વિશ્વાસ મૂક્યો છે એ વાતનું પણ કેમ અવગણના કરવાનું બને છે? એટલો વિક્ષેપ રહ્યો છે, એમ કહે છે.
તથાપિ.” એટલે અમને ખાતરી છે. તોપણ અમને તો ખાતરી છે કે તમારા આત્મામાં તેવી બુદ્ધિકોઈપણ દિવસે હોય નહીં. તમારો અભિપ્રાયન બદલાણો હોય કે અમે કહીએ છીએ એ બરાબર નથી. અમે કહીએ છીએ એ બરાબર છે એ અભિપ્રાય રાખીને પણ અમારાથી વિરુદ્ધ વર્તન થઈ જાય છે. તમારા આત્મામાં તેવી બુદ્ધિ કોઈ પણ દિવસે હોય નહીં કે અમારા વચન પ્રત્યે કંઈ ગૌણભાવ તમારાથી રખાય.” એવી બુદ્ધિ તો હોય નહિ તમારી, એ અમને વિશ્વાસ છે. અમારું વચન ગૌણ કરવાનો તમને અભિપ્રાય ન હોય પણ અત્યારે ગૌણ થઈ ગયું છે, થઈ રહ્યું છે એ તમારું ધ્યાન ખેંચીએ છીએ. એમ જાણી અમે તમને ઠપકો લખ્યો નહીં. તમારા ઉપર વિશ્વાસ છે એમ જાણીને ઠપકો નથી લખ્યો.
. “તથાપિ હવે એ વાત લક્ષમાં લેવામાં અડચણ નથી. અત્યારે ફરીને ધ્યાન ખેંચીએ છીએ કે તમે લક્ષમાં લ્યો. ઉતાવળે કોઈ વ્યવસાયની પ્રવૃત્તિમાં જોડાઈ ન જાવ. તેમ મુંઝાવાથી કંઈ કર્મની નિવૃત્તિ, ઇચ્છીએ છીએ તે થતી નથી;” અને વેપારમાં અવળું પડે અને મુંઝવણ થાય. વેપાર શરૂ કરે, માલ ખરીદે અને ભાવ બેસવા મંડે. માલ લઈ લીધો હોય અને ભાવ ઘટવા માંડે. નફો કરવા જતા નુકસાનના પ્રસંગો નજર સામે દેખાય એટલે Tension આવ્યા વગર રહે નહિ. એ મુંઝવણ થાય એટલે કાંઈ પૂર્વકર્મની નિવૃત્તિ નહિ થઈ જાય અને આપણે ઇચ્છીએ છીએ એ પ્રમાણે બજાર ચાલવા નહિમાંડે. એવું કાંઈ થતું નથી. ઉલટાનું “આર્તધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ પર પગ