Book Title: Prekshadhyana Shwas Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ કે તેને સમ્યફ રીતે જાણ્યા વગર પ્રાણવાયુને જાણ શકાતે નથી. વેગના આચાર્યોએ આ વિષય પર જે કાંઈ લખ્યું છે તેની સાથે આજનું વિજ્ઞાન સહમત થતું જાય છે. આપણું યાત્રા પ્રાણથી શરૂ થઈ, પ્રાણવાયુ પર આવી અને પ્રાણાયામ સુધી પહોંચી. હવે આપણું યાત્રા ઊલટી શરૂ થાય છે. આપણે પ્રાણાયામથી શરૂઆત કરીએ. આપણે પ્રાણાયામને અભ્યાસ બરાબર થ જોઈએ. તો પ્રાણવાયુ આપોઆપ સધાઈ જશે. પ્રાણવાયુ કેટલા પ્રમાણમાં લે જોઈએ, પ્રાણવાયુ ક્યાં સુધી પહોંચી રહ્યો છે, તેનું જ્ઞાન પણ અત્યંત જરૂરી છે. પ્રાણવાયુ બરાબર લઈ એ તે પ્રાણુને સક્રિય કરવાની ક્ષમતા જાગૃત થઈ જાય છે. પ્રાણ શક્તિના આધાર પર તે ગીઓ વિચિત્ર પ્રકારનાં કામ કરી બતાવે છે. તેજસ શરીરમાં અનુગ્રહ અને વિગ્રહ કરવાની શકિત હોય છે. તેજસ-લબ્ધિ-સંપન વ્યક્તિ કેઈને સળગાવી દઈ શકે છે, નાશ પણ કરી શકે છે, મારી પણ શકે છે, તે તે અનુગ્રહ પણ કરી શકે છે, આપી પણ શકે છે. તેનામાં આપવાની ક્ષમતા પણ હોય છે. આ બધી જ ક્રિયાઓ પ્રાણશક્તિની છે. પ્રાણનો સંબંધ છે તેજસ સાથે. આ બને છે ત્યારે પ્રાણાયામથી લીધેલા પ્રાણવાયુના અગ્નિ દ્વારા પ્રાણને એટલે ઉદીપ્ત કરવામાં આવે છે, પ્રાણ એટલે પ્રજવલિત થાય છે કે તેનામાં અદ્દભુત ક્ષમતાઓ પ્રગટે છે. આ દૃષ્ટિથી પ્રાણાયામનું ખૂબ જ મહત્ત્વ છે. પ્રાણનાં બધાં જ કેન્દ્રો મસ્તિષ્કમાં છે. પરંતુ પ્રાણની ધારાના બે માર્ગ હોઈ શકે છે. તેને એક બાહ્ય રસ્તે છે 12 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34