Book Title: Prekshadhyana Shwas Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ ત્યારે તે “ધ્યાન બની જાય છે, જેને આપણે દીર્ઘશ્વાસ પ્રેક્ષા કહીએ છીએ. શ્વાસની ગતિ મંદ કે શાંત થાય છે અને શરીર તનાવમુક્ત બને છે. " રવાસ-પેક્ષામાં સ્વાસના સમસ્ત પર્યાને જેવાને પ્રયત્ન કરવામાં આવે છે, બંને નસકેરાંના સંધિસ્થાનમાં ચિત્તને સ્થાપિત કરી આવતા-જતા શ્વાસને અનુભવ કરવામાં આવે છે. બંને નસકેરાં શ્વાસને અંદર પ્રવેશવા માટેનાં દ્વાર છે, તેમ બહાર જવાનો પણ દ્વાર છે. ત્યાં પ્રવાસના સ્પર્શને અનુભવ કરવામાં આવે છે, તેની આગળ ચિત્ત દ્વારા વાસના માર્ગને જોઈ શકાય છે, તેની માત્રા અને ગતિને જાણી શકાય છે, વગેરે વગેરે. આ આખી વર્તમાનની વાસ્તવિક ક્રિયા છે, જેના પર ચિત્તને એકાગ્ર કરી શકાય છે. સામાન્ય રીતે બહારની હવા ઠંડી અને ઉચ્છવાસની હવા ગરમ હેય છે, જેથી પ્રવેશ કરતી વખતે ઠંડે સ્પર્શ અને બહાર કાઢતી વખતે ગરમ સ્પર્શને અનુભવ થાય છે. ૨. સમવૃત્તિ શ્વાસ-પેક્ષા જેવી રીતે દીર્ઘશ્વાસમાં શ્વાસની ગતિને પરિવર્તિત કરી શકાય છે તેવી જ રીતે સમવૃત્તિ-શ્વાસ-પેક્ષામાં તેની દિશા બદલવાની હોય છે. એક નસકેરાથી શ્વાસ અંદર લઈ બીજા નસકેરા દ્વારા શ્વાસ બહાર કાઢવામાં આવે છે તથા તેના દ્વારા જ અંદર લઈ પહેલા નસકેરાથી બહાર કાઢવામાં આવે છે. આ પરિવર્તન સંકલ્પશક્તિ દ્વારા નિષ્પન્ન થઈ શકે છે. ચિત્ત આ રીતે સતત શ્વાસની સાથે 25 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34