Book Title: Prekshadhyana Shwas Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ છે. આ છે—વમાનમાં જીવવાના અભ્યાસ, વર્તમાનમાં રહેવાના અભ્યાસ. જ્યારે આપણે વર્તમાનમાં છીએ, તેને જ જોઈ રહ્યા છીએ, તે સમયે ત્યાં નથી રાગ, નથી દ્વેષ. કારણ, જ્યારે સ્મૃતિ કે કલ્પના નથી તેા રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. આપણે સ્મૃતિ અને કલ્પનાથી મુક્ત તથા રાગ-દ્વેષથી મુક્ત ક્ષણમાં જીવી રહ્યા છીએ. આ છે શુદ્ધ ચેતનાની ક્ષણુ, આ છે વર્તમાનની ક્ષણુ. અહીં નથી પ્રિયતા, નથી અપ્રિયતા; નથી ભૂતકાળની કાઈ સ્મૃતિ કે નથી ભવિષ્યની કાઈ ચિંતા. ફક્ત વર્તમાન ક્ષણનું જીવન છે. શ્વાસને જાવાના અથ છે-સમભાવમાં જીવવું, શ્વાસને જોવાના અથ છે—વત માનમાં 'જીવવુ', વર્તમાનમાં જીવવાના અથ છે—મનને વિશ્રામ આપવા, ખેાજાથી મુક્ત થવુ', માનસિક તનાવથી મુક્તિ પ્રાપ્ત કરવી, વીતરાગતાની ક્ષણમાં જીવવું, રાગ-દ્વેષ-મુક્ત ક્ષણુમાં જીવવું. જે વ્યક્તિ શ્વાસને જુએ છે તેના તનાવ આપે!આપ વિસર્જિત થઈ જાય છે. જ્ઞાતા-દૃષ્ટાભાવ . શ્વાસ-પ્રેક્ષા જ્ઞાતા-દૃષ્ટા ભાવને વિકસિત કરવાના પણ સક્ષમ ઉપાય છે. આપણી ચેતનાનેા મૂળ ધર્મ છે—જાણવું અને જોવુ', રાતાભાવ અને દૃષ્ટાભાવ. આપણે જ્યારે આપણા અસ્તિત્વમાં હોઈએ છીએ આત્માની સન્નિધિમાં હાઈ એ છીએ, ત્યારે ફક્ત જાણવુ' અને જોવુ –એ જ વાતા ઘટિત થાય છે. પરંતુ જ્યારે તેમાંથી બહાર આવીએ છીએ ત્યારે, આપણા કેન્દ્રથી હટી પરિધિમાં આવીએ છીએ ત્યારે સાથે સાથે ખીજુ કાંઈક જોડાઈ જાય છે, મિશ્રણ થઈ જાય છે. Jain Education International 29 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34