Book Title: Prekshadhyana Shwas Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ સાથે ચાલે છે. તેની પ્રેક્ષા કરે છે. તેને “સમવૃત્તિ શ્વાસપ્રિક્ષા” કહેવાય છે. સમવૃત્તિશ્વાસ-પ્રેક્ષામાં નાડીસંસ્થાનું શોધન થાય છે, જ્ઞાન-શક્તિ વિકસિત થાય છે અને અતિન્દ્રિય જ્ઞાનની શકયતાઓનાં દ્વાર ખૂલે છે. સમવૃત્તિ-વાસ-પેક્ષા મિત્રીને પ્રયોગ છે. આપણે એ પ્રયોગ કરી રહ્યા છીએ કે જે ઠંડું છે તે પણ જરૂરનું છે અને જે ગરમ છે તે પણ જરૂરનું છે. બંને પરસ્પર વિરોધી હોવા છતાં પણ તે શત્રુ નથી. બંને આપણા જીવન માટે અત્યંત ઉપયોગી છે. દીર્ઘ-શ્વાસ-પ્રેક્ષા અને સમવૃત્તિ-વાસ-પેક્ષા સમયે Aવાસને લયબદ્ધ કે તાલબદ્ધ બનાવવામાં આવે છે. તેની સાથે સાથે શ્વાસને અંદર લઈ અંદર રોક તથા બહાર કાઢીને બહાર રોક તે આંતર કુંભક અને બાહ્ય કુંભક કહેવાય છે. આ પ્રકારનો પ્રયોગ ફક્ત એટલા જ સમય માટે કરવો જોઈએ જેથી તેમ કરવામાં મુશ્કેલી ન પડે. ખૂબ જ સરળતાથી કરવાથી શ્વાસસંયમને ધીરે ધીરે સાધી શકાય છે. ૧. ધાસ જ્યારે જમણા નસકેરા (સૂર્યનાડી) વડે લઈએ તે ઉમા વધે છે, શ્વાસ જ્યારે ડાબા નસકેરા (ચંદ્રનાડી) વડે લઈએ છીએ તે શીતળાની વૃદ્ધિ થાય છે. 26 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34