Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 92
________________ ભવક્ષયથી એટલે મૃત્યુથી આ ગુણસ્થાનકે મરણ પામીને અવશ્ય વૈમાનિક દેવલેકમાં જાય છે, અને ત્યાં તેને કહ્યું ગુણસ્થાનક હોય છે. કાળક્ષયથી જે પડે છે તે જે રીતે ચઢયે હતું તે જ કમથી, પડે છે, અને પડતાં પડતાં યાવત્ ટૂઠા ગુણસ્થાનક સુધી જાય છે. ત્યાં કઈ સ્થિર થાય છે, કેઈ તેથી પણ નીચે પામે-જ થે જઈ સ્થિર થાય છે. અથવા કેઈ તેથી પણ નીચે સાસ્વાદન ગુણસ્થાનક થઈ મિથ્યાત્વ ગુણસ્થાનક સુધી પહોંચે છે. અથવા ૪ થા ગુણસ્થાનકથી પણ સીધે ૧ લા ગુણસ્થાનકે પહોંચે છે. - ઉત્કૃષ્ટથી જીવ એક ભવમાં બે વાર ઉપશમ-શ્રેણિ માંડી શકે છે. જે જીવ એક વાર ઉપશમ–શ્રેણિ માંડે છે તે તે જ ભવમાં ક્ષક—શ્રેણિ માંડી શકે છે. પરંતુ જે બે વાર ઉપશમ–શ્રેણિ માંડે છે તે તે ભવમાં ક્ષપકશ્રેણિ માંડી શકતો નથી. સિદ્ધાંતના મતે તે જે ભવમાં ઉપશમ શ્રેણિ માંડે તે તે ભવમાં ક્ષપક–શ્રેણિ ન માંડે. કેમકે એક ભવમાં, બેમાંથી એક જ શ્રેણિ હોઈ શકે. (૧૨) ક્ષીણ કષાયવીતરાગ છમસ્થ ગુણસ્થાનક 'ચારિત્રમેહનીય કર્મના સર્વથા ક્ષયથી પ્રાપ્ત થયું છે વીતરાગ-- પણું, પણ ત્રણ ઘાતકર્મના ઉદયથી હજી છદ્મસ્થપણું જેઓને છે તે જવાનું ગુણસ્થાનક તે ક્ષીણુકષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક દશમા ગુણસ્થાનકના અંતિમ સમયે સૂમ લેભને ક્ષય થઈ જાય છે તેથી અનંતર સમયે જીવ આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. આમ આ ગુણસ્થાનક ક્ષેપક શ્રેણિમાં પ્રાપ્ત થાય છે. દેશમાં ગુણસ્થાનકથી ઉપશામક જીવે ૧૧ મા ગુણસ્થાનકે જાય છે, જ્યારે ક્ષપકજીવ આ ૧૨ મા ગુણ-- સ્થાનકે આવે છે - આ ગુણસ્થાનકને જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ અંતમુહૂર્ત પ્રમાણુ છે. આ ગુણસ્થાનકના અંતે જ્ઞાનાવરણદર્શનાવણ અને અસરકર્મને મા કરી. અતર સમયે જીવ કેરા-કેવીદર્શન પ્રગટ કરતે હેવાથી સગિ કેવલિ. ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130