Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 113
________________ R ન જ છે ૧૪ ગુણસ્થાનકે સત્તાને યત્ર ગુણસ્થાનક | પ્રકૃતિ | સત્તાનો અભાવાદિ ૧૪૮૪૧ ૧૪૭ ૧૪૭ જિનનામ કર્મ વિના ૧૪૭ > > ) ૧૪૮ ૫-૬-૭-૮-૯) ૧૪૮ ૧૦-૧૧ || આ સામાન્યથી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તા બતાવી છે. અહીં રજા અને ૩જા ગુણ સિવાય ૧ થી ૧૧ ગુણ સુધી ૧૪૮ની સત્તા બતાવી છે. પ્રશ્ન એ થાય છે કે ૭મા ગુણસ્થાનકથી ઉપરના ગુણરથાનક ઉપશમ કે ક્ષપકશ્રેણિમાં જ આવે છે. ઉપશમશ્રેણિવાળા ભૂવને નરક-તિર્યંચાયુષ્યની સત્તા હોઈ શકે જ નહીં. તે પછી ૧૪૮ની સત્તા ૮ થી ૧૧ ગુણસ્થાનકમાં શી રીતે લીધી? તેનું સમાધાન એ છે કે ઉપશમથેણિથી પડીને જીવ ચારે ગતિમાં જઈ શકે છે. તેથી પડ્યા પછી કોઈપણ આયુષ્ય બાંધી શકે તે સંભવ સત્તાની અપેક્ષાએ ગ્રંથકારે ૮ થી ૧૦ ગુણ સુધી પણ તિર્યંચ-નરકાયુ. સહિત ૧૪૮ની સત્તાની વિવક્ષા કરી હોય તેમ સંભવે છે. અચરમશરીરી સમ્યગુદષ્ટિ જીવને ૪ થી ૭ ગુણ. દર્શન ૭ ને ક્ષય થયા પછી ૧૪૧ની સત્તા હોય છે. સામાન્યથી સત્તાને યત્ર બતાવ્યો છે. હવે ઉપશમણિ અને ક્ષપકશ્રેણિની અપેક્ષાએ વિશિષ્ટ સત્તા દર્શાવતા બે કોઠા નીચે મુજબ છે. ૪૧. પ્ર. - પ્રથમ ગુણસ્થાનકે જિનનામકર્મની સત્તા કેવી રીતે? ઉ. - જિનનામકર્મને બંધ ચતુર્થાદિ ગુણસ્થાનકે કર્યા પછી પૂર્વે નરકાયુષ્ય બાંધ્યું હોય તેવા ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવને નરક તરફ પ્રયાણ કરતા છેલ્લે અંત મ્હૂર્ત કાળ માટે મિથ્યાત્વ ગુણસ્થાક આવે છે અને નરકમાં ગયા પછી અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વ ગુણસ્થાનક રહે છે. આ વખતે તેને જિનનામકર્મની સત્તા હેય છે. આ અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાનકે પણ જીવને જિનનામકર્મની સત્તા હોય છે.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130