Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૩ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૧૩
ગ્રન્થિથી મુક્ત થાય છે તે નિર્ચાન્ય કહેવાય છે. દ્રવ્ય પ્રન્થિ ૯ પ્રકારની અને ભાવગ્રન્યિ ૧૪ પ્રકારની છે. જે આ બંને પ્રન્થિઓને છોડી નાંખે છે તે નિર્ઝન્ય કહેવાય છે.
કોઈ વ્યક્તિ દ્રવ્ય ગ્રન્યિને તે છોડી દે પણ જે કષાયાદિ ભાવગ્રન્થિને છોડે નહિ તો તે નિર્ઝન્ય કહેવાય નહિ. નિગ્રંથે તો નિશ્ચય અને વ્યવહાર અને પ્રકારની ગ્રંથિઓ છોડવાની જરૂર છે. પંદર પ્રકારે સિદ્ધ થાય છે તેમાં ગૃહલિંગી પણ સિદ્ધ થાય છે અને અન્યલિંગી પણ સિદ્ધ થાય છે પણ તેઓ ભાવની અપેક્ષાએ સિદ્ધ થાય છે. દ્રવ્યની અપેક્ષાએ તે સ્વલિંગી જ સિદ્ધ થાય છે, એટલા માટે દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારની પ્રન્થિથી જે વિમુક્ત થાય છે તે જ નિર્ચન્ય કહેવાય છે. અને જેઓ સંપૂર્ણપણે દ્રવ્ય અને ભાવ સ્થિઓથી છૂટી જાય છે તે જ મહાનિર્ચન્ય કહેવાય છે. કોઈ દ્રવ્ય પ્રન્થિથી જ મુક્ત થાય છે તે કોઈ ભાવ પ્રન્થિથી જ છૂટો થાય છે પણ જે બન્ને પ્રકારની ગ્રન્થિઓથી છૂટો થાય છે તેઓ જ મહાનિન્ય કહેવાય છે. આવા મહાનિર્ચન્યના ચરિત્રને આશ્રય લઈ ગુરુ શિષ્યને શિક્ષા આપતાં કહે છે કે –
सिद्धाणं नमो किच्चा संजायाणं च भावओ ।
अस्थधम्मगतिं तच्चं अणुसिट्ठो सुणेह मे ॥ અર્થાત – હું અર્થની શિક્ષા આપું છું. સાધારણ રીતે ગૃહસ્થ “અર્થને અર્થ ધન કરે છે પણ અહીં અર્થ ધનના અર્થમાં નહિ પણ ધર્મ અર્થમાં વિવક્ષિત થએલો છે. હું નિર્ઝન્યધર્મરૂપી અર્થની શિક્ષા આપું છું.
આજકાલ લેકે જે કોઈ આવે છે તેના બની જાય છે. પણ શાસ્ત્ર કહે છે કે, તમે નિગ્રંથ ધર્મના અનુયાયી છે. કેઈ વ્યક્તિ વિશેષના નહિ. જે કોઈ નિર્ચન્વધર્મની વાત કહે તેને માને અને જે નિર્ચન્યધર્મની વાત ન કહે તેને ન માનો. નિર્ચન્વધર્મનું પ્રતિપાદન નિગ્રંન્યપ્રવચન કરે છે. જે દ્વાદશાંગી નિગ્રંન્યપ્રવચનની વાણું છે, તેને સજીવન કરનાર, તેનું પ્રતિપાદન કરનાર ગ્રન્થ અને શાસ્ત્ર નિગ્રંન્યપ્રવચન જ છે. પણ જે દ્વાદશાંગીનું ખંડન કરે છે અને તેની વિરુદ્ધ કોઈ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે તે નિર્ઝન્ય પ્રવચન નથી. જે નિગ્રન્થધર્મને અનુયાયી હશે તે નિગ્રંથ પ્રવચનના સિદ્ધાન્તની વિરુદ્ધ જનારા ગ્રન્થ કે શાસ્ત્રને કદાપિ માનશે નહિ, પણ તે તે એ જ કહેશે કે, મારે માટે તે નિર્ચન્ય પ્રવચન જ પ્રમાણ છે.
“નિર્ચ ધર્મની શિક્ષા તત્ત્વાર્થરૂપે કહું છું તે સાંભળો' એવું અત્રે કહેવામાં આવ્યું છે.
શાસ્ત્રના પ્રારંભમાં પ્રવૃત્તિ, પ્રયોજન, સંબંધ અને અધિકાર આ ચાર વાત અવશ્ય હેવી જોઈએ. આ ચાર વાતે “અનુબધુ ચતુષ્ટય” એ નામથી ઓળખાય છે.
કાર્યમાં પ્રવૃત્તિ કરવા વિષે પહેલાં વિચાર કરવામાં આવે છે. જેમકે કોઈ નગરમાં પ્રવેશ કરવો હોય તો તેના દ્વારની તપાસ સર્વ પ્રથમ કરવી પડે છે. જો દરવાજાની ખબર ન હોય તો પછી નગરમાં પ્રવેશ કેવી રીતે થઈ શકે? એટલા માટે પ્રવૃત્તિ વિષે વિચાર પહેલો કરવો પડે છે. પ્રવૃત્તિના વિષે કરવામાં આવતા વિચારને 5 અનબન્ધ ચતુષ્ટય' કહેવામાં આવે છે. અનુબધુ ચતુષ્ટયમાં કહેવામાં આવેલી ચાર વાતનું ધ્યાન રાખવાથી સુખપૂર્વક પ્રવૃત્તિ થઈ શકે છે. આ અનુબન્ધ ચતુષ્ટયથી જ શાસ્ત્રની પરીક્ષા થઈ શકે છે. જેમાં લાખો મણ અનાજની અને હજારો ગજ કપડાની પરીક્ષા તેના નમૂના
કાક