Book Title: Jain Darshan
Author(s): Kalahansvijay
Publisher: Varddhaman Satya Niti Harshsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 276
________________ ( ૨૫૯ ) હયાતી કારણરૂપે નથી, તેા પણ એ બન્નેને પ્રમાણુરૂપ ગણવામાં આવે છે તેમ સ્મરણુને પણ પ્રમાણરૂપ ગણવું જોઇએ. જ્યાં ધૂમાડા જોઇને અગ્નિનું અનુમાન કરવામાં આવે છે—એ અનુમાનમાં તે પદાર્થની સાક્ષાત્ કારણુતા છે અર્થાત્ અનુમાનમાં ત્રણે કાળના પદાર્થાને ભાસ થઈ શકે છે. હવે જો અનુમાનની પેઠે સ્મરણને પણ પ્રમાણુરૂપ નહિ માનવામાં આવે તે ચેાકખા વિરાધ જ ગણાય. . નવમું એ કે-ઈશ્વરનું જ્ઞાન, જેવડે તે, પદ્દા માત્રને જાણી શકે છે તે, ઈંદ્રિય અને પદાથૅના સબંધથી થાય છે કે એ સિવાય થાય છે? જો એ સિવાય થાય છે' એમ માનવામાં આવે તે તમે જે આ ઇંદ્રિય અને પદાના સંબંધથી થનારા અને બ્યપદેશ વિનાના જ્ઞાનને’ પ્રત્યક્ષ કહેા છે. તેમાંથી · ઇંદ્રિય અને પદાના સંબંધથી થનારા' એટલે ભાગ કાઢી નાખવેા જોઇએ—કારણ કે ઈશ્વરના પ્રત્યક્ષમાં એટલા ભાગ ધી શકતા નથી. કદાચ એમ કહેવામાં આવે કે ઇશ્વરના જ્ઞાનમાં પણ એ સબધ હાય છે, તે તે પણ ખરાબર નથી; કારણ કે શ્ર્વરનું મન તદ્દન નાનું હાવાથી એક જ વખતે બધા પદાર્થો સાથે જોડાઇ શકતુ નથી, એથી તે જ્યારે એક પદાર્થને જાણે છે ત્યારે બીજાને નથી જાણુતા માટે અમારી માફક એનું સર્વજ્ઞપણું કદી પણ ન ઘટી શકે, કારણ કે એ ઈશ્વર મનવડે એક જ વખતે બધા પદાર્થો સાથે સંબંધ ન રાખી શકતે હેાવાથી એક જ સમયે બધુ જાણી શકતા નથી. હવે એક પછી એક એમ ક્રમવાર બધું જાણે છે. માટે જો એ સર્વજ્ઞ કહેવાતો હાય તે। અમે બધા પણ સર્વજ્ઞ કહેવાવા જોઇએ; કારણ કે એ રીતે અમે પણ બધુ જાણી શકીએ છીએ. વળી, જે પદાર્થો અતીતરૂપ છે અને ભવિષ્યરૂપ છે તેની સાથે તે ઇશ્વરના મનને સચેગ ન થવાથી એ, તેને શી રીતે જાણી શકશે? માટે શ્ર્વરનું જ્ઞાન, વિષયમાત્રને જાણે છે, એ કથન પણ વિરાધવાળુ છે એ હકીકત સમજાય તેવી સુગમ છે. એ જ પ્રકારે યાગીઓના જ્ઞાન વિષે પણ સમજી લેવાનું છે.

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290