Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ આઠમી [9 પિતા–શેઠ-રાજા–પ્રધાન–સેનાપતિ એ બધા છે, પણ તેમાંનાં કઈ “હું ને વિચાર કરવાનું કહેતા નથી! આ સંજોગમાં “હું ને વિચાર થાય શી રીતે? રૂપાની કિંમત શીખે ત્યારે છોકરે જાણે. રૂપાની કિંમત નથી સમજાવી ત્યાંસુધી છોકરે રૂપાની પાટ ઉપર પિશાબ કરે, મેતીના ઢગલા ઉપર પિશાબ કરે. તેને કંઈ છે? તેને કિંમતનું ભૂત પેઠું નથી. કિંમતીપણાને સંસ્કાર એને પિઠે નથી. સોનું, મેતી, મણિ, આટલું કિંમતી છે! એમ એ બધું ઓળખાવ્યું એટલે તેની કિંમત જાણું; પણ હું” કેટલે કિંમતી ? તે કેઈએ એળખાવ્યું ? જગતની કિંમત ઓળખી, પણ પિતાની કિંમત ઓળખી નથી. જગતના પદાર્થોની પરીક્ષા કરી. ખાટું-મીઠું-કધળું એ બધા ગુણને વિચાર કર્યો. દુનિયાના પદાર્થોને, તેના ગુણને વિચાર કર્યો પણ “હું” અને તેના ગુણેને વિચાર કયારે કર્યો? ઉપાશ્રય દહેરાને અદ્વિતીય ચમત્કારિક પ્રભાવ હોય તે તેજ કે “હું ને તે અણઉકેલ કેયડો ઉકેલે. કારણ? જિનેશ્વરના મંદિરમાં શું છે? ભગવાનની મૂર્તિ. વ્યવહારથી ભગવાનની મૂર્તિ છે, પણ લગીર ઊંડા ઉતરે તે આપણે આત્માને આપી છે. જેને પણ અવતાર અને ઈશ્વર બંને માને છે. અન્ય મતવાળાઓ પણ તે બને માને છે. અજેને પણ અવતાર અને ઈશ્વર બંનેની માન્યતા ધરાવે છે. જેને અવતારમાંથી ઈશ્વરની માન્યતા ધરાવે છે, બીજાઓ ઈશ્વરમાંથી અવતાર જણાવે છે. રિખદેવજીને 13 મે છેલ્લે ભવ, વીરને ૨૭મે છેલ્લે ભવ, એમ અવતારજન્મ જેને માને છે, પછી તેમાંથી આવી રીતે આત્માના ગુણ ઉત્પન્ન કર્યા. આમ ઈશ્વર થયા ત્યારે ઈશ્વરની મૂર્તિ ઉભી કરી. તારે ઈશ્વર બનવું હોય તે આમ વર્તાય. બીજા ધર્મવાળાએ