Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 68 ધન્યકુમાર ચરિત્ર. ગયેલ દેવી જરા પણ દંડને યેગ્ય નથી. આ પંકપ્રિયને વ્યાધિ અસાધ્ય છે, માટે તેને જવું હોય તે વનમાં જવા દે એજ ઠીક લાગે છે. તેનાં વચન માત્રથી જ કાંઈ રાણુ અપરાધી ગણાઇને તિરકારને ગ્ય બની ન શકે. આ પ્રમાણે વિચારીને રાજાએ પંકપ્રિયને જવા દીધો, એટલે તે ફરીને વનમાં સરેવરને કિનારે ઝુંપડી કરીને લાંબા વખત સુધી ત્યાં જ રહ્યો. હવે કેટલેક સમય એ રીતે વ્યતિત થતાં એક દિવસ રાત્રિના વાઘની ભયંકર ગર્જનાઓ સંભળાવા લાગી. એટલે ભયથી ધ્રુજત, અંગને સંકોચ અને અન્ય સ્થળે જવાને અશક્ત પંકપ્રિય નરકમાં ઉત્પન્ન થવાની જગ્યા જેવી ઉકરડાની જમીનમાં કરી રાખેલ એક પત્થરની કુંભમાં જલદી દાખલ થઈ ગયે. મરણની બીકે જેમ તેમ પિતાના અંગે સંકેચી દઈને, જરા પણ સળસન્યા વગર તેમાં આખી રાત કાઢી, સવારના લાંબા પહેળા થઈ ન શકવાથી અકડાઈ ગયેલા પિતાના અંગો વાળને અશક્ય થઈ પડવાથી તે કુંભમાંથી બહાર જ નીકળી શક્યું નહે. અંગોપાંગ વાળવાની તથા છુટા કરવાની કોશિષમાં ભારે દુઃખ સુat કરતે બે ગાથા બે બાજુમાં લખીને તે ત્યાંજ મરણ પામે - પંકપ્રિય પાછો જંગલમાં જઇને રહ્યો છે તે વાત સાંભળીને તેના પુત્ર ત્યાં જઈ તેની શોધ કરવા લાગ્યા. શોધ કરતાં તેઓએ તેનું શબ પથ્થરની કુંભમાં જોયું અને તેની લખેલી બે ગાથા વાંચી. તેમાં આ મતલબ હતી કે–વાઘના ભયથી કુંભમાં દાખલ થયેલે, ભૂખ્યો, બહાર નીકળવાને અસમર્થ તથા આdધ્યાનથી દુઃખી થતે હું મરણ પામ્યો છું. (1). આ ભવમાં બીજે ભવ પણ બગાડી નાખનાર તથા જેનું પરિણામ દુઃખમાંજ આવે