Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 702
________________ એ મ . એ કે તે or નવમ ૧લવ.” હેતુભૂત હોવાથી તે હવે મને રૂંચતા નથી. આ સંસારમાં જ મરણ વિગેરે દુઃખ આવે ત્યારે કઈ શરણભૂત થતું નથી, દુકર્મના વિપાકના અનુભવને સમયે એકાકી ભટકતે આ જીવ ઉદયાનુસાર ગતિ પ્રાપ્ત કરે છે. કડોની સંખ્યામાં સેવકે અને સ્વજનવર્ગ હોય તે પણ જીવ તે એકલેજ જાય છે અને એકલેજ આવે છે, તે વખતે શુભ અને અશુભ કર્મપ્રકૃતિ સિવાય બીજું કે તેની સાથે જતું કે આવતું નથી. જયાં સુધી જન્મમરણાદિનાં ભય ન જાય ત્યાં સુધી જીવને સુખ નથી. મધુલિત ખગધારાને ચાટવાની જેમ આ વિષય દેખતાં મીઠાં લાગે છે પણ પરિણામે અતિ દુષ્ટ છે. તે દુર્જન અને ચોરને જેમ ળિ દુઃખ આપે તેમ અવશ્ય દુઃખ જ આપે છે, તેથી જો તમારી રજા હોય તે જન્માદિ સમસ્ત દુઃખના સમૂહને કાપવામાં પરમ ઔષધિરૂપ ચારિત્ર હું ગ્રહણ કરૂં. આ પરમ ઔષધવડે મારી જેવા અનંતા જી પરમાનંદ પદ પામ્યા છે, તેથી મને ચારિત્ર લેવાની ઈચ્છા થઈ છે, માટે મને રજા આપે.' ' આ પ્રમાણેનાં શાલિભદ્રનાં વચન સાંભળીને સનેહથી ઘેલી થયેલી માતા તત્કાળ મૂછ આવવાથી ભૂમિ ઉપર પડી ગઈ. પછી દાસી વિગેરેએ વાતાદિ શીતળ ઉપચારવડે તેને સર કરી, તે વખતે વિગદુઃખની કલ્પનાથી ફાટતાં હૃદયવડે આક્રંદ કરતી તે બેલવા લાગી કે-“અરે પુત્ર !. કાનમાં નખાતા તપાવેલ સીસાની જેવું આ તું શું છે ? તારે વ્રત લેવાની વાત શી ? વ્રત તે તારૂં અશુભ ચિંતવનારા પાડોશીઓ ગ્રહણ કરશે ! તારે વળી ચારિત્ર કેવું ?" તે વખતે શાળિભદ્ર કહ્યું કે-“માતા ! તેમ બેલે નહિ, જે ચારિત્ર ગ્રહણ કરે છે તેઓ કેઇનું અશુભ ચિતવનારા હોતા જ નથી. તેઓ તે જગતના છ ઉપર મૈત્રીજા

Loading...

Page Navigation
1 ... 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748