________________
૧
।। પ્રથમોહાસ :
मङ्गलाचरणम्
प्रणिपत्य परं ज्योतिः प्रशान्तदोषं सतां सदा ध्येयम् । પ્રત્યુત્ત-વ્યૂહ-મિને ભોજાભો-પ્રારમ્પ तत्तद्बहुश्रुतावलि सङ्घविनिर्मित-विचित्रपृच्छानाम् । શ્રી-વિનયસેનસૂતિ-પ્રક્ષાવિતાન્યુત્તરાળિ મા I૨॥ અોપાક-પ્રાળ-તટ્ટીજા-ગુરુપરંપરાવીનામ્ स्व-मत्याऽऽत्मस्मृतये संगृह्यन्ते यथावगमम् ॥ ३ ॥
त्रिभिर्विशेषकम्
અર્થ: જેનાં દોષો તદ્દન શાંત થયા છે, અને જે હંમેશ સંતોને ધ્યાન કરવા યોગ્ય છે, વિઘ્નોનો નાશ કરનાર છે, અને લોકાલોકનું સ્વરૂપ AC PL પ્રકાશે છે, એવી પરમ જ્યોતિરૂપ શ્રી તીર્થંકર દેવોને પ્રણિપાત કરીને એટલે કે મન વચન કાયાએ ભ્રમસ્કાર કરીને, અંગો, ઉઠ્યાંગો, પ્રકરણો, અને તેઓની ટીકાઓ તથા ગુરુપરંપરાના મતને અનુસરીને શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજાએ બહુશ્રુત મુનિમહારાજાઓએ અને શ્રી સંઘોએ પૂછેલા વિવિધ પ્રશ્નોના ઉત્તરી આપવાની કૃપા કરી હતી. તે પ્રશ્નોત્તરોનો હું પોતાના સ્મરણ માટે મારી બુદ્ધિ અનુસાર સંગ્રહ કરું છું. (૧-૨-૩)
મહોપાધ્યાય શ્રી વિમલહર્ષ ગણિકૃત પ્રશ્નોના ઉત્તરો -
પ્રશ્ન: જ્ઞાનપંચમીના ઉજમણાનું દ્રવ્ય જ્ઞાન દ્રવ્ય કહેવાય? કે મંડપમાં પધરાવેલ જિનેશ્વરદેવોની સામે મૂકાએલ હોવાથી દેવદ્રવ્ય કહેવાય?
ઉત્તર :— ઉજમણાના જ્ઞાનનાં બધાં ઉપકરણો જ્ઞાન દ્રવ્ય છે, અને તે જ્ઞાન ભંડારમાં મૂકવા અને બીજા જે હોય તે દેવદ્રવ્ય કહેવાય, એમ જણાય છે. [દર્શન અને ચારિત્રનાં ઉપકરણ સિવાયનાં] ॥ ૧-૧ |i
H પ્રથમ અંક ઉલ્લાસનો અને બીજો અંક સળંગ પ્રશ્નનો જાણવો.
[સન પ્રશ્ન-૧...]