Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ– ગુરઇ ૨ मा चिट्ठह मा जंपइ मा चितइ किंचि जेण होइ थिरो । अप्पा अप्पाम्मि रओ इणमेव हवे पर ज्झाणं ॥ ५६ ॥
- હે ભવ્ય ! કાંઈ પણ ચેષ્ટા ન કર, કાંઈ પણ ન બલો, કાંઈ પણ ચિંતવન ન કરે જેથી આત્મા નિજાત્મામાં તલ્લીનપણે સ્થિર થઈ જાય. આ આત્મામાં લીનતા એ જ પરમ ધ્યાન છે.
(બહદ્ દ્રવ્યસંગ્રહ, દિગં ગ્રંથ) जं किंचिवि चिंतंतो निरीहवित्ती हवे जदा साहू । लद्धण य एयंतं तदाहु तं तस्स णिच्छयं उझाणं ॥ ५५ ॥
ધ્યેયમાં એકત્વ પ્રાપ્ત કરીને કોઈપણ પદાર્થનું ધ્યાન ધરતાં સાધુ જ્યારે નિઃસ્પૃહ વૃત્તિવાળા હોય છે ત્યારે તેમનું તે ધ્યાન નિશ્ચયવાન કહેવાય છે.
(બ્રહદ્ દ્રવ્યસંગ્રહ, દિગં. ગ્રંથ) જ્ઞાનાવસ્થા – કેવલજ્ઞાન એ નિર્વિકપ ઉપયોગ છે, જેમાં સર્વ ય પદાર્થો ગુણપર્યાયયુક્ત પ્રતિબિંબિત થાય છે.
ધ્યાનાવસ્થા - ધ્યાન-સમાધિ જાગ્રત અવસ્થા હોવા છતાં કોઈપણ પદાર્થને જોવા-જાણવા જતાં નથી તેમ તેમાં પદાર્થો પ્રતિબિંબિત પણ થતાં નથી. - નિદ્રાવસ્થા-મૂછવસ્થા - નિદ્રામાં-સંહિતાવસ્થામાં, મૂછમાં, વેનમાં જડ નિર્વિકલ્પતા છે. એમાં તન-મનની જડ અવસ્થા છે અને તેથી પદાર્થો જાણવા-જવાની પ્રવૃત્તિને અભાવ છે. આ અવસ્થામાં પણ પદાર્થ પ્રતિબિંબિત થતા નથી.
ય પદાર્થોને જોવા-જાણવા જવું એનું જ નામ વિકલ્પ. વિકલ્પ વિનાશી છે. નિર્વિકલ્પતા અવિનાશી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org