Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ ૨ જેનશાસ્ત્રના અહિં સાં સૂત્રમાં નિષ્ણુ છે કે ગતિમાન મનુષ્ય તમામ પ્રકાર યુક્તિઓથી વિચારીને અને તમામ પ્રાણી એને દુઃખ ગમતું નથી એ હકીકતને પોતાના જાતઅનુભવથી સમજીને કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી. આ નિષેધાત્મક હિંસા થઈ.
- જ્યારે તે હિંસામાંથી ઉગારવા, બીજાને દુઃખમાં સહભાગી થવું, અન્યની પીડા ઓછી થાય એવા પ્રયત્ન કરવા, એ વિધાયક અહિંસા થઈ. એ જ ભાવાત્મક અહિંસા દયા અગર સેવા તરીકે ઓળખી શકાય અને સર્વ ધર્મોમાં દયાનું અનુશીલ તે છે જ.
જૈન ધર્મ મહદ્ અંશે આચારધમ છે. ભગવાન મહાવીરે કહ્યું છે “પઢમં નાણ તેઓ દયા' અર્થાત પ્રથમ જ્ઞાન અને બાદમાં દયા, તપ, પરોપકાર આદિ સર્વે આચરણ છે.
સમાજના વ્યવસ્થિત ધારણ અને પોષણ માટે અહિંસા તેમજ દયા અને અનિવાર્ય છે.
જે કુટુંબમાં, સમાજમાં કે રાષ્ટ્રમાં નબળા વર્ગનું શોષણ થતું હોય, લાચારીને લાભ ઉઠાવાતે હેમ અને ત્રાસ ગુજરાત હોય, હક્કો છિનવાતા હોય, તે પરિવાર, સમાજ કે રાષ્ટ્ર દુઃખી અને ગુલામી દશા જોગવતાં હોય છે. જ્યાં ભયનું સામ્રાજ્ય હેય. ત્યાં હિંસા રહેવાની જ,
કોઈ પણ યુદ્ધ પ્રથમ મતમાં ખેલાય છે, પછી રણભૂમિ ઉપર
પ્રેમ, દયા અને કરુણાના અભાવથી કુટુંબમાં ફલેશ અને હિંસા વ્યાપે છે. સમાજમાં ગેરવ્યવસ્થા વ્યાપે છે અને સામાજિક માળખું પણ છિન્નભિન્ન થઈ જાય છે. રાષ્ટ્રમાં અરાજક્તા અને હિંસા ફાટી નીકળે છે, અને વિશ્વની મહાસત્તાઓમાં સાઠમારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org