Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
-૧૭૨ ]
મુઘલ કાલ
ત્રિ. ૫મુ’
હિંદમાં બધાં અંગ્રેજી વેપારી થાણાંઓના વડા મથક તરીકે સુરતની કારી કામ કરતી તેથી એ હિંદમાં અ ંગ્રેજી સામ્રાજ્યના મુખ્ય આધાર કહેવાઈ છે. અન્ય કાઠીઓના વડાઓએ ફૅકટરીએના અહેવાલ આપવા વર્ષમાં એક વાર સુરત જવાનું થતું. શરૂઆતના આગેવાના બેસ્ટ ડાઉન્ટન ઍડવ કેરિજ વગેરે સાહસિક પુરુષ હતા. તેઓએ પોર્ટુગીઝાની તીવ્ર હરીફ઼ાઇ દુશ્મનાવટ રાગચાળા ઇત્યાદિ મુશ્કેલીએના સામના કરી સુરતમાં અંગ્રેજોનું વેપારી મથક મજબૂત કર્યું. સુરતની કાઠીના વહીવટ અથે પ્રેસિડેન્ટ હતેા; એનેા વાર્ષિક પગાર ૫૦૦ પૌંડ હતા. અન્ય ચાર અધિકારી હતા — એકાઉન્ટન્ટ-ખજાનચી, વખારને અધિકારી, પસ ્–મેરિનર અને સેક્રેટરી, યુરાપથી આવતા મુસાફ્ર કેટલીક વાર વિદેશીઆના વેપારી કાઠીમાં રહેતા. ફ્રાયર અને વિંગ્ટનનાં લખાણેા પ્રમાણે બ્રિટનની વેપારી ક પની સુરતમાં મકાનનું ભાડુ વર્ષે ૬૦ પૌંડ ચૂકવતી. એ માળવાળા મકાનના ઉપલા ભાગ નિવાસ અથૅ અને નીચલા ભાગ ધંધા અર્થે વપરાતા. પ્રેસિડેન્ટના આવાસ વધુ સગવડવાળા હતા. ડૉ. જ્હાન ફાયરે કરેલા વર્ણન પ્રમાણે પથ્થર અને લાકડાથી બાંધેલું મકાન દેશી કારીગરીથી સુશૅાભિત હતું. માન–પ્રમાદ અર્થે અલાયદી વ્યવસ્થા હતી. વળી એક સાદું દેવળ પણ હતું. એને પાદરી હિંદમાં અગ્રેજ કાઠીએાના રહેવાસીઓની ધાર્મિક વિધિ સંપન્ન કરતા.૪ ૧૬૯૮ ના સનદી ધારાથી બ્રિટિશ પાર્લામેન્ટે કોંપનીના કિલ્લાઓ અને અગત્યની કાઠીઓમાં પાદરી રાખવાની વ્યવસ્થા કરી આપી હતી. હિંદુ આવ્યા પછી પાદરીએ એક વર્ષમાં પાટુગીઝ તેમજ દેશી ભાષા શીખી લેવાની રહેતી.પ ૧૭૦૦ માં પ્રાર્થનાનું એક ચોક્કસ સ્વરૂપ ડાયરેકટરોએ માકલી આપ્યું.
હિંદીને પ્રભાવિત કરવા અંગ્રેજો હાથી રહેતા. રવિવારે અને રજાના દિવસે ધા િક પ્રવચન સાંભળ્યા પછી શહેર બહાર ઉદ્યાનમાં ફરવા કે તરવા જતા. શિકાર કરીને કે અન્ય રીતે દિલ બહેલાવતા. સ્વાદિષ્ઠ વાનગીઓ મનાવવા હિંદી અંગ્રેજી અને પોર્ટુગીઝ રસેાધ્યાને રાકવામાં આવતા. વાનગીએમાં માખણુ, બદામ તેમજ અનેક જાતનાં માંસ અને ફળનેા ઉપયાગ થતા, એ સમયે અંગ્રેજો ચાંદીનાં વાસણામાં ભેજન કરતા, કારણ કે ચીનાઈ માટીનાં કે કાચનાં વાસણ મેઘાં પડતાં. માંસ અને દારૂના અતિસેવન અને નવી આખાહવાને કારણે માંદગી અને મૃત્યુનું પ્રમાણ વધુ હતું. એ લોકેામાં એક કહેવત શરૂ થઈ કે વ્યક્તિનું આયુષ એ ચેમાસાં”. અંગ્રેજો સવારે બર્ન્સ વાઇન લેતા. સવારના છ વાગ્યે દેવળમાં એમની હાજરી ફરજિયાત હતી. ગેરહાજર વ્યક્તિ અર્ધી ક્રાઉનનેા દંડપાત્ર બનતી, પ્રાર્થના પૂરી થયા બાદ કાઠીના દરવાજા ખૂલતાં,