Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૦૦].
મુઘલ કાલ એમ કહી શકાય કે આ હરિભદ્રસૂરિને બાદ કરતાં કાઈ જૈનાચાર્યે આટલી વિશાળ સંખ્યામાં ગ્રંથ રચ્યા હેય એવું જાણવામાં નથી.
અધ્યાત્મપરીક્ષા (પ્રાકૃતમાં) પણ ટીકા સાથે, “અધ્યાત્મસાર” અધ્યાત્મપનિષદ દેવધર્મ પરીક્ષા ગ્રંથ ગુરુતત્વવિનિશ્ચય” (પ્રાકૃતમાં) અને એની
પણ ટીકા, દ્વાન્નિશ કાર્નાિશિકા' જયતિલક્ષણસમુચ્ચય” (પ્રાતમાં), “જ્ઞાનસાર”, “પ્રતિમાશતક” ગ્રંથ અને એના પરની પણ મોટી ટીકા, પંચનિગ્રંથી પ્રકરણ” “અનેકાંત વ્યવસ્થા' નામે દાર્શનિક ગ્રંથ જેનતકભાષા નયરહસ્ય', “નયપ્રદીપ', “નપદેશ પર ટીકા સાથે, “જ્ઞાનબિંદુ', ન્યાયખંડનખાદ્ય” (મૂળ નામ “મહાવીરતવ પ્રકરણ) નન્યાયને, “ન્યાયાલેક' ઐન્દ્રસ્તુતિ “ઉપદેશરહસ્ય' “આરાધક-વિરાધક ચતુર્ભગી આદિજિનસ્તવન “તત્વવિકી તિડન્વયેક્તિ' ધમપરીક્ષા” “જ્ઞાનાર્ણવ” “નિશાભાવિચાર” વગેરે ૪૩ મૂલ કૃતિઓ ઉપરાંત–
“અષ્ટસહસ્ત્રી વિવરણ કર્યપ્રકૃતિ-બૃહદીકા” “કમપ્રકૃતિ–લઘુટીકા' તત્વાર્થ વૃત્તિ” (સંપૂર્ણ) “દ્વાદશારચક્રોદ્ધાર-વિવરણ” “ધર્મસંગ્રહ-ટિપ્પણ” “પાત જલ યેગસૂત્ર-વૃત્તિ, યોગવિંશિકા-વિવિર” “શાસ્ત્રવાર્તસમુચ્ચય-વૃત્તિ ષડશક વૃત્તિ
સ્તવપરીક્ષા પદ્ધતિ” “અધ્યાત્મબિંદુ “અધ્યાત્મપદેશ” “અલંકારચૂડામણિ-ટીકા વગેરે અનેક ટીકાગ્રંથ જાણવા મળે છે.
આ ગ્રંથસૂચિ ઉપરથી જાણી શકાય છે કે ઉપા. યશોવિજયજી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા અને તે તે વિષયના ઉચ્ચ કેટિના અભ્યાસી હતા.
એ જ રીતે એમણે ગુજરાતી ભાષામાં અનેકાનેક રચના કરી છે.
મહાકવિ મેઘવિજ્ય ઉપાધ્યાય (ઈ.સ. ૧૬૫૭) : તપ મુનિ કૃપા વિજયના શિષ્ય મહે. મેઘવિજ્યગણિએ ૪૦ જેટલા ગ્રંથનું સર્જન કર્યું છે.
સમસ્યાપૂતિકાવ્યમાં એમણે માઘકાવ્ય “મેઘદૂત' નૈષધ કિરાત’ વગેરે કાવ્યોની સમસ્યા પૂર્તિરૂપ કાવ્યકૃતિઓ રચી પિતાનું અદ્દભુત કવિકૌશલ બતાવ્યું છે.
એ જ રીતે કવિ કાલિદાસના મેઘદૂત' કાવ્યના પ્રત્યેક કને છેલ્લે પાદ લઈ ત્રણ પાદ પિતે રચીને “મેઘદૂતસમસ્યલેખ નામનું સંદેશ-કાવ્યા વિજ્ઞપ્તિપત્ર' રૂપે સં. ૧૭૩૦ માં રચ્યું છે.