Book Title: Gujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Author(s): Dhananjay J Jain
Publisher: Jaypadma Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ હેમચંદ્રાચાર્ય સેમચન્દ્રમાંથી “હેમચન્દ્રસૂરિ આ પ્રસંગ બાદ કેટલાક વર્ષો પછી, વિ. સં. ૧૧૬૬ની સાલે.અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે રાજસ્થાનમાં નાગપુર (નાગર) મુકામે ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરીશ્વરજીએ સંયમી અને સુવિનીત સેમચન્દ્ર મુનિને સૂરિપદ (આચાર્યપદ) સમર્પિત કર્યું. તે સમયે અભુત મહોત્સવ ઉજવાયો હતે. સેમચન્દ્રમુનિને આચાર્યપદ અર્પિત થયું ત્યારના વિધિ-પ્રસંગનું વર્ણન કરતાં પ્રભાવક-ચરિત્રમાં લખ્યું છે કે, “ચારે તરફ મંગલ-ધ્વનિ દર્શાવતાં વાદ્યો વાગી રહ્યાં હતાં, ત્યારે દેવચન્દ્રસૂરીશ્વરજીએ પોતે સેમચન્દ્રમુનિના શ્રવણને (કાન) અગરુ, કપૂર અને ચંદનથી અચિંત કર્યા અને સૂરિમ-ત્ર સંભળાવ્યો. ” સંયમ-સ્વીકારના બાર વર્ષ બાદ, સેમચન્દ્ર મુનિ આચાર્યપદ પામ્યા ત્યારે, કેલસામાંથી હેમ (સુવર્ણ)ના નિર્માણના પ્રસંગની સ્મૃતિ ચિરંજીવ રાખવા માટે “હેમ” શબ્દને નામમાં જોડી દેવા માટે ધનદ શેઠે વિનંતી કરી. તે વિનંતીને ગુરુદેવ સ્વીકારી અને ગુરુએ સેમચન્દ્રજીનું નવું નામકરણ કર્યું – આચાર્ય હેમચન્દ્રસૂરિ.” ત્યાર બાદ જગતે એમને વિશેષતઃ “હેમચંદ્રાચાર્ય તરીકે જ ઓળખ્યા. માત્ર એકવીશ વર્ષની નાનકડી ઉંમરમાં તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132