Book Title: Gujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Author(s): Dhananjay J Jain
Publisher: Jaypadma Prakashan

View full book text
Previous | Next

Page 121
________________ ૧૦૨] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક સામુદ્રિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ધાતુ પરિવર્તનવિદ્યા, સ્ત્રીઓની ચાસડ કળા અને પુરુષની બહોંતર કળા, રતિશાસ્ત્ર, રોગવિદ્યા, મન્ન, તત્ર અને યત્ર વગેરે અનેક વિદ્યાઓના તેઓ (હેમચન્દ્રાચાર્ય) મહાસાગર હતા. આવા વિવાઓના મહાસાગર સાધુપુરુષને તે કાળના લકે કળિકાળસર્વજ્ઞ' કહે, એ જરાયે વધુ પડતું નથી. આજની ભાષામાં “ જીવંત વિશ્વકષ” અને એ કાળની ભાષામાં “કલિકાલસર્વજ્ઞ” એ બંને શબ્દો એક જ ભાવના વાચક છે. એમના જેવા કલિકાલસર્વજ્ઞને લીધે તે વખતે ગુજરાતનું ગૌરવ હતું, તેમ આજે પણ છે. [ “પરબ” માસિક–વર્ષ : ૨૯; અંક : ૧૧-૧૨, પૃ. ૧૨] પ્રસિદ્ધ સાક્ષર કનૈયાલાલ માણેકલાલ સુનશીએ કહ્યું છે કેઃ “હેમચંદ્ર માત્ર “કલિકાલસર્વજ્ઞ” નહોતા, એમણે વિદ્વાને જીત્યા. અથાગ જ્ઞાનને વલોવી કૃતિઓ રચી. એમણે ગુજરાતીઓને સંસ્કૃત સાહિત્યમાં સ્થાન અપાવ્યું. એ મુત્સદીએમાં ઘૂમ્યા. અને રાજ્યાધિકાર પર નૈતિક સત્તા બેસાડી. મહત્ત્વાકાંક્ષાથી ઉછળતા ગુજરાતની મહત્તાને શબ્દદેહ આપે. પણ એ ઉપરાંત એ મહ ત્તાને કહ૫નાજન્ય અપૂર્વતાનો એમણે ઓપચડાવ્યો.” શ્રી ભેગીલાલ જ. સાંડેસરા લખે છે કે સિદ્ધરાજ-કુમારપાળના રાજ્યકાળમાં અસામાન્ય દીપ્તિ જણાય છે. એ દીપ્તિ જાણે કે હેમચંદ્રના શાંત પ્રતિભાવાન નયનેમાંથી બહાર પડી રહી છે. એમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18urvatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132