Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધ સગ્રહ ૩૦ ભા॰ સારાદ્વાર ગા. ૩૮
“ હે ભદંત ! હું સામાયિક કરૂ છુ, (તેમાં) સર્વ પાપ યાગાને (પ્રવૃત્તિને ) પચ્ચકખુ. (તજી') છું, જ્યાં સુધી નિયમ (બે ઘડી) પૂર્ણ થાય ત્યાં સુધી, દ્વિવિધ− ત્રિવિધથી (એટલે) મન – વચન – કાંયાથી (પાપને) કરું નહિ-કરાવું નહિ, (વળી) ભૂતકાળે કરેલા તે પાપથી પ્રતિક્રમુ' (પાછે। ક્રૂ') છુ, (આત્મ સાક્ષીએ) નિંદુ છું અને (ગુરુની-આપની સાક્ષીએ) ગહું છું. તથા ( ભૂતકાળના ) મારા પાપી આત્માને (પાપ પર્યાયને) વાસિરાવું (સ પ્રકારે તજી)છું.”૨૧
૧૦૮
આ સૂત્રમાં “કરેમિભતે સામાઇઅ” પાઠથી વર્તમાનનાં, પચ્ચકખામિ' શબ્દથી ભવિષ્યનાં અને છેલ્લે ‘તસ્સ ભતે ! પડિમામિ' વગેરે પાઠથી ભૂતકાળનાં એમ ત્રણે કાળનાં પાપ યાગાના ત્યાગ કરાય છે.
વળી મૂળ સૂત્રમાં “જાવનિયમ...” પદમાં ‘કોઈ અમુક કાળ સુધી' એમ નિણૅય નથી, તા પણ વ‘દ્વિત્તાની ચૂર્ણીમાં ‘જાવનિયમ‘' પદથી એ ઘડી અને સમાધિ ટકે તેા અધિક કાળ પણ સામાયિકમાં રહેવું, એમ કહ્યું છે. સાધ પ્રકરની શ્રાવકત્રતાધિકારની ૧૧૪ ગાથામાં તે સ્પષ્ટ એ ઘડી કહી છે, એ રીતે ગુરુવંદનપૂર્વક સામાયિક સ્વીકારીને આસને બેસીને ધમ સાંભળે નવુ' ભણે, અગર વિવિધ પ્રશ્નોદ્વારા તત્ત્વજ્ઞાન મેળવે. અને રાગ-દ્વેષના નિમિત્તો આવે તે પણ સમતાને ન તજે.
સામાયિક વ્રતનુ ફળ શાસ્ત્રોમાં કહ્યું છે કે- દરરોજ એક લાખ ખાંડી સેાનાના દાન કરતાં પણ એક સામાયિકમાં અધિક લાભ છે. એ ઘડી સમતારૂપ સામાયિક કરનાર ૯૨૫૯૨૫૯૨૫૬ + 3 પલ્યેાપમનુ' દેવનું આયુષ્ય બાંધે, દ્રવ્ય તપ લાંબે કાળ ઉગ્ર કરવાથી પણ જેટલાં કર્મી ન ખપે તેટલાં કર્મો માત્ર અડધી ક્ષણ (એક મિનિટ) માં સમતા– સામાયિથી ખપે છે.
જે કોઈ આત્માએ મુક્તિને પામ્યા, પામશે, કે પામે છે, તે સવ સામાયિકના પ્રભાવ છે. અહા ! આ અમૂલ્ય ખરીદીરૂપ વ્યાપાર કેવા છે, કે જેમાં કઇ હેમ-તપ કે દાન કર્યા વિના જ માત્ર સમભાવથી મુક્તિ મળે છે !
એમ સામાયિક વ્રતનું વર્ણન સંક્ષેપથી કરીને હવે દશમા દેશાવગાસિક વ્રતને કહે છે કमृल-संक्षेपणं गृहीतस्य, परिमाणस्य दिग्वते ।
તુ અવાજ તમ્ ોચ', વ્રત' વૈરાયહાશિમ ફિટ
અર્થાત્ િિશપરિમાણ વ્રતમાં ધારેલા પ્રમાણમાં (પુન:) સ્વલ્પ કાળ માટે સંક્ષેપ કરવા, તે દેશાવકાશિક વ્રત જાણુવુ. જો કે અહીં દિશિપરિમાણ વ્રતના જ સંક્ષેપ કહ્યો છે, તેા પણુ
૨૧. વિશેષ અર્થ અન્ય ગ્ર ંથાથી કે માટા ભાષાંતરથી જાણી લેજે.