________________
ઉપમિતિ કથા સારદ્વાર un
ત્યાં એને અનેક દુખ આપવામાં આવે છે. ઘણે માર અને ત્રાસ સહન કરે પડે છે. અનેક પીડાઓ વચ્ચે એ સપડાઈ ચુક્યા છે. હેરાનગતીને કઈ પાર નથી. એમ મારા સાંભળવામાં આવ્યું છે. મારી વિચારણ:
સ્વામિન! મને નિકૃષ્ટ માટે થયું કે અરે! પાપાત્મા નિકૃષ્ટની આ કેવી ભયંકર પરિસ્થિતિ છે? અજ્ઞાનનું બળ કેવું વિચિત્ર નિકૃષ્ટની કેવી અધમ દશા?
મહામહને એ મિત્ર માની બેઠે પરંતુ એ લોકેએ એને પિતાના રાજ્યમાં પ્રવેશ કરવા ન દીધા. અજ્ઞાનથી આંધળે ભીંત બની ગયે. પિતાના રાજ્યને ખોઈ બેઠે. પિતાના મદદનશે ચારિત્રધર્મરાજ વિગેરેને ઓળખ્યા નહિ અને એમની પડખે ન ગયો એટલે એ પણ મરાઈ ગયા.
આ ભવમાં દુઃખ પામ્યો અને કર્મપરિણામે નારાજ થઈ પાપીપંજરમાં બળજબરીએ ધકેલી મોકલ્યા.
મારે તે આપની આજ્ઞા પ્રમાણે કાર્ય કરવાનું હતું એટલે મને થયું કે મારે આ બધી ચિંતા કરવાની જરૂર નથી. મારે મારા સ્વામીની આજ્ઞાનું પૂર્ણ વફાદારી પૂર્વક પાલન કરવું જોઈએ.
આ વિચાર કરી “અધમ” કેવી રીતે રાજ્ય કરે છે, એ જોવા માટે હું ત્યાં ગયે. ત્યાંની પરિસ્થિતિનું નિવેદન કરૂં છું આપ સાંભળે.