Book Title: Upmiti Saroddhar Part 03
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 361
________________ ૩૧૪ ઉપમિતિ કથા સારોદ્ધાર રેગોને જલ્દી કાબુમાં લઈ નાશ કરી શકતા હતા. સાતિવકવૃત્તિવાળા હતા. કેટલાક પુણ્યવાને આ સુવૈદ્યની વાતને અમલ કરતા હતા અને કેટલાક અધન્યપુરૂષે આ સુવૈદ્યની વાત સાંભળવા જ રાજી ન હતા. એ સુદ્ય પોતાના શિષ્યોને રોજ વ્યાખ્યાન આપતા. કેટલાક ધૂર્તો ઉપથતિદ્વારા કાંઈક સાંભળી લેતા. શ્રોતાવર્ગ. માંથી કોઈ પૂછતા અને એ વાતને સમૃતિમાં ધારી લેતા. શ્રોતાઓ પાસેથી ઉપર ઉપરની વાત સાંભળી કેટલાક ધૂર્તો વૈદ્યને ધંધે આદરી બેઠા. એ રીતે પિતાનું માન સન્માન અને આજીવિકાનું સાધન ઉભું કરી લીધું. કેટલાક પોતાની જાતને મહાપંડિત માનતા હતા. એમણે પોતપોતાની નવી નવી સંહિતાઓ બનાવી એમાં કઈ કઈ વાતે સુવૈદ્યની કહેલી અને પરંપરાએ સાંભળેલી લખી અને મોટા ભાગની વાતો પાંડિત્યના અભિમાનમાં પિતાની કલ્પિત લખી નાખી. એમાં વળી કેટલીક વાતે સુઘના શાસ્ત્ર કરતાં ઘણીજ અસત્ય હતી. રેગી લોકે જુદી જુદી અભિરૂચિવાળા હતા. એટલે પરિણામ એ આવ્યું કે કેટલાક રેગી કઈ વૈદ્ય પાસે જતા તે વળી કેટલાક બીજા વિદ્ય પાસે જતા. એમ થવાના કારણે કુવૈદ્યો પણ સારી પ્રસિદ્ધિને પામી ગયા. એ કુવૈદ્યોએ પણ પિતાને શિષ્યવર્ગ ઉભે કર્યો અને એમની આગળ પિતાની રચિત સંહિતાઓ શીખવાડવી ચાલુ

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376